.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Buy Now Kagvani

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

11 मार्च 2023

સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા પહેલ સાથે અપીલ

સામાજીક ક્રાંતિના પ્રણેતા પ્રાંત: સ્મરણીય આઈશ્રી સોનલ મા શતાબ્દી વર્ષ નિમિત્તે સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા પહેલ સાથે અપીલ

પ.પૂ. આઈશ્રી સોનલ માના પ્રાગટય દિવસ એટલે સોનલબીજ પોષ સુદ-2 વિક્રમ સવંત 2079 તા.25/12/2022 થી શતાબ્દી વર્ષનું મંગલ પ્રવેશ કચ્છ ચારણ સમાજ તથા સોનલબીજ સમિતિ દ્રારા માંડવી-કચ્છ ખાતે બે દિવસીય ભવ્યાથીભવ્ય કાર્યક્રમોના આયોજન થી શરૂ થયેલ છે. આખો વર્ષ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને પોષ સુદ-2 વિક્રમ સવંત 2080 , 2024 માં મઢડા ખાતે ભવ્યાતિભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આઈશ્રી સોનલ મા શતાબ્દી મહોત્સવ મંગલ પ્રવેશ કાર્યક્રમ માંડવી ખાતે રાત્રે યોજાયેલ સંતવાણીમાં દેવરાજભાઈ ગઢવી (નાના ડેરો) તથા દેવાંધભાઈ ગઢવી,  નાના ભાડિયા, ઈશ્વરભાઈ ગઢવી, ભારુભાઈ ગઢવી દ્રારા સોનલ સરોવર બનાવવા માટેની અપીલ કરવામાં આવેલ. ત્યારબાદ માંડવી તાલુકાના કાઠડા, પાંચોટીયા, ગામના આગેવાનો અને ગ્રામજનો દ્રારા શુભ શરૂયાત કરવામાં આવેલ. ત્યારબાદ ભાડા, મોટા લાયજા, નાના લાયજા તથા મોટા ભાડિયા ખાતે આઈશ્રી સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિ વન બનાવવા માટે પહેલ કરવામાં આવેલ છે. તો આવો આપણે સર્વે ચારણો તથા ચારણેતર આઈશ્રી સોનલ મા ને માનતા સર્વેએ આપણા ગામ, આપણા વિસ્તારમાં સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિ વન બને એ માટે પ્રયત્ન કરીએ.

મિત્રો હાલમાં જીવમાત્રની ઉદ્વારક આઈ સોનલ માનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યુ છે, સાથે ભારતવર્ષ  જી-૨૦ નું આતિથ્ય, પ્રકૃતિ બચાવો જેવા અનેક કાર્યક્રમો ચાલી રહયા છે. જેમાં નામી અનામી પાવન ચેતનાઓ કામ કરી રહી છે ત્યારે સુકી ધરાના હેતાળ હૈયા ના મીઠા માડુઓ કચ્છે પ્રથમ પહેલ કરી છે ત્યારે સૌ ગુજરાતના શકિત ઉપાસકો પ્રકૃતિપ્રેમી આ મહાયજ્ઞમાં તન મન અને ધનથી જોડાઈને આઈમાની શતાબ્દી નિમિતે ૧૦૦ સરોવર અને ૧૦૦ સ્મૃતિવન બનાવવાની નેમ વ્યક્ત કરીએ..

મિત્રો ખાલી વિચારજો આપણા પરિવારના ચાર વ્યકિતઓને આપણે સુધારી નથી શકતા અને પૂરતો સમય નથી આપી શકતા તો સમગ્ર માનવ સમાજને સુધારવા માટે આઈ મા એ કેટલી જીંદગીઓ શતાબ્દી વર્ષ ખર્ચ્યા હશે ત્યારે આ પરિવર્તન આણી શકયા, હાલ આપણો સમાજ જે સ્થિતિએ છે અને શૈક્ષણિક અને આર્થિક વિકાસ પ.પૂ. આઈશ્રી સોનલ માએ જે તે સમયે બોર્ડિંગો સ્થાપીને શિક્ષણની જયોત જગાવે જેના પરિણામે છે. જે તે સમયે આઈમાએ કેટલા કષ્ટો વેઠીને દરેક ચારણોનું ઉદ્ધાર થાય એ માટે આઈમા પ્રવાસ કરેલ હતા. તથા સમાજ માટે સર્વસ્વ કરનાર આઈશ્રી સોનલ માની શતાબ્દી યુગો હજારો વર્ષ સુધી ઉજવાય તે માટે આપ  કેવળ ૧૦૦ દિવસ, ૧૦૦ કલાકો અર્પીને ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી શકો છો… જય હો પ્રકૃતિ પરમેશ્વર..

આવો આપણે સર્વે આઈશ્રી સોનલ મા શતાબ્દી વર્ષ નિમિત્તે સોનલ સરોવર તથા સોનલ સ્મૃતિવનની બનાવવા માટે યથાશકિત પ્રયત્ન કરીએ.

25 जनवरी 2023

આઈશ્રી બનુમા મૂર્તિ પ્રતિષ્ઠા અનાવરણ કાર્યક્રમ આમંત્રણપત્રિકા

આઈશ્રી બનુમા મૂર્તિ પ્રતિષ્ઠા અનાવરણ કાર્યક્રમ આમંત્રણપત્રિકા

તા.03/02/2023, શુક્રવાર

સ્થળ :- શ્રી સોનલધામ મઢડા તા.કેશોદ જી. જૂનાગઢ


5 जनवरी 2023

પ્રાતઃ સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ મા

પ્રાતઃ સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ મા


ચારણ સમાજ ના આંગણે દેવી અવતરે, જગદંબા અવતરે એ કોઈ નવી વાત નથી. માં મોગલ હોય, માં રવેચી હોય, નાગબાઈ માં ખોડિયાર હોય કે માં સોનલ.. આ તમામ દેવીઓ એ અવતરણ માટે ચારણો ના ઘર પસંદ કર્યા છે..

માં સોનલ એ આચરણ ની દેવી છે. તેમનો બોધ તેમનો સંદેશ હંમેશા  જ્ઞાતિ, ધર્મ ના વાડાઓ ઉલ્લંઘી પ્રેમ, ભાયચારા અને તાલિમ પર કેન્દ્રિત રહ્યો છે. તેઓ સમાજ ને તેમના ઉપદેશ ને જીવન માં ઉતારી આચરણ માં લાવવા પર ભાર મૂકે છે.

માં સોનલ અંધશ્રદ્ધા ના પ્રખર વિરોધી હતા. તેઓ ને ધર્મ વિશે જાણવાની એટલી તાલાવેલી હતી કે અનેક ગ્રંથો અને અનેક સંતો મહાત્માઓ સાથે ગોષ્ટિ હંમેશા રહી.

તેમને ઇસ્લામ ને જાણવાની ઇચ્છતા થતા તેમને કુરાન ને ગુજરાતી માં ભાષાંત્રિત કરી કુરાન નો સંદેશો જાણવા મઢડા ગામે મૌલવી ને આમંત્રિત કર્યા અને કુરાન ને સમજી. મૌલવી ને એમ લાગ્યું કે માતાજી હવે કુરાન થી ખૂબ પ્રભાવિત થયા છે ત્યારે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની તાલાવેલી જાગી.

માતાજી ને જાણ થઈ કે હવે આ મૌલવી અલ્લાહ નો સંદેશો ઓછો અને પોતાની ધર્માંતરણ ની લાલચ વધુ સેવે છે ત્યારે માતાજીએ તે મૌલવી ને તગેડી મુકેલો.

જૂનાગઢ ના બાદશાહ મોહબત ખાન માતાજી ના દર્શને ખૂબ આવતા.

આમ માતાજી ને તમામ ધર્મ પ્રત્યે ખૂબ આદર હતો પણ ધર્મ ના દુરુપયોગ કરનાર ને તેઓ હંમેશા ભગાડતા.

માતાજી લોકોને જમાડી ને ખૂબ ખુશ થતા. સંદેશાવ્યવહાર વગર ના તે જમાના માં માતાજી ને ખબર પડી જતી કે આજે અડધી રાતે આટલા મહેમાન આવશે.. એટલે તેમના ભોજન ની તૈયારી તેઓ સુતા પહેલા કરી રાખતા.  તેમને "મધર" નામની ભેંસ મહેમાન અડધી રાત્રે આવે ત્યારે દોહવા દેતી.. અને બોઘેરણુ ભરી ને દૂધ આપતી.

માતાજી અશપૃશયતા માં જરા પણ માનતા નહિ. તે તમામ જાતિ ના  લોકો ને પછી તે રાજા હોય કે રંક તમામને એક પંગતે બેસાડી ને પ્રેમ થી જમાડતા.

માતાજી નો કચ્છ પ્રવાસ હતો,નીકળતા જ હતા.. ત્યાં ખબર આવ્યા કે ગામમાં અનુસૂચિત જાતિના સ્ત્રી ને પ્રસુતિ સમય થઈ ગયો છે અને હોસ્પિટલમાં સમયસર પહોંચે તોજ બચશે.. ગામ માં કોઈ વાહન ઉપલબ્ધ નહોતું..

માતાજી તેમને ત્યાં ઉભેલી એમ્બેસેડર ગાડી પોતે હંકારી કેશોદ લઈ ગયા, અને અનુસૂચિત જાતિ સ્ત્રી સ્વસ્થ થઈ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રોકાયા.

આમ માં સોનલ નું  સમગ્ર જીવન ઉપદેશ સમાન છે. તેમને જે ઉપદેશ આપ્યો તે સૌપ્રથમ પોતે આચરણ કરી ને દેખાડ્યો છે.

એટલેજ માં સોનલ ની ભક્તિ તેમના નામના રટણ માં નથી પણ તેમના ઉપદેશ ના આચરણ માં છે.

જય માં સોનલ.

#આઈશ્રીસોનલમાજન્મશતાબ્દીમહોત્સવ
#સોનલધામમઢડા
#આઈશ્રીસોનલમા


3 जनवरी 2023

પ્રાત: સ્મરણીય પરમ પૂજ્ય આઈશ્રી હાંસબાઈમાના ૯૫ મા જન્મોત્સવ તથા ગૌ કથા આમંત્રણપત્રિકા

આપને સહર્ષ જણાવવાનું કે પ્રાત: સ્મરણીય પરમ પૂજ્ય આઈશ્રી હાંસબાઈમાના ૯૫ મા જન્મોત્સવની હર્ષભેર ઉજવણી સાથે પંચ દિવસીય ગૌકથાનું આયોજન આઈમા ના આંગણે કરવામાં આવેલ છે. આ પાવન પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ 

કથા સ્થળ: ભગવતી કૃપા ધામ – મોટા રતડીયા, કચ્છ

2 जनवरी 2023

અધિક અંગત સચિવ તરીકે નિમણુંક

ચારણ સમાજના ગૌરવ, યુવાનોના આદર્શ એવા શિવરાજભાઈ ગીલવા સાહેબ (નાયબ કલેકટર)ની અધિક અંગત સચિવ તરીકે નિમણુંક

કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ સાહેબ

Sponsored Ads

ADVT

ADVT