.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Buy Now Kagvani

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

20 जुलाई 2023

ચારણ સ્મૃતિ તથા ઝરપરા ગ્રામાયણ પુસ્તક ઈ-બુક સ્વરૂપે

ચારણ સ્મૃતિ તથા ઝરપરા ગ્રામાયણ પુસ્તક ઈ-બુક સ્વરૂપે

ચારણ કવિશ્રી આશાનંદભાઈ ગઢવી (ઝરપરા) દ્રારા રચિત નીચે મુજબના પુસ્તકો ઈ-બુક સ્વરૂપે પવિત્ર અધિક શ્રાવણ મહિના નિમિત્તે આપ સર્વે માટે અપલોડ કરવામાં આવેલ છે. 

(1) ચારણ સ્મૃતિ (ચારણોની શાખા પ્રશાખા અને રીત રિવાજો વગેરે અમૂલ્ય માહિતી)

(2) ઝરપરા ગ્રામાયણ (ઝરપરા ગામના આઠસો વર્ષના ઈતિહાસ સાથે વર્તમાન એક અધ્યન)

આ પુસ્તકો ચારણી સાહિત્ય બ્લોગ પર થી ડાઉનલોડ કરવા માટે :-⤵️⤵️
  1. ચારણ સ્મૃતિ - આશાનંદભાઈ ગઢવીઅહી કલીક કરો 
  2. ઝરપરા ગ્રામાયણ  - આશાનંદભાઈ ગઢવીઅહી કલીક કરો  

चारण कविश्री तथा लेखकश्री आशानंदभाई गढवीनुं परिचय

नाम :-आशारिया सुराभाई रविया
जन्म :- भादरवा सूद-1 ता.15-09-1966
शाखा :- सेडा (गुंगडा),
गोत्र :- तुंबेल
जन्मभूमि :- ओखा मीठापुर - सुरजकरडी
व्यवसाय :- प्राथमिक शिक्षक
सरनामुं :- सिंधु भवन,पदरोड वाडी, मुं. झरपरा ता.मुंदरा-कच्छ
मो-9824075995

*आशानंदभाई गढवीना प्रकाशित थयेल पुस्तको*

🔸विरह पदावली (संपादन)
🔸प्रेम झरणु पदावली (संपादन)
🔸कच्छना धर्मरक्षक संत शेषावतारश्री रावळपीर दादा
🔸सोनल चरित्र
🔸नंदनवन (काव्य संग्रह)
🔸सोनल चालीसा (स्तुति काव्य)
🔸श्री देवाविलास तथा सुबोध बावनी (संपादन)
🔸आईश्री सोनल कथामृत (जीवन चरित्र)
🔸वीर कवि वारु (जीवन चरित्र)
🔸चारण आई परंपरा
🔸 चारण स्मृति
🔸 झरपरा ग्रामायण
🔸 कच्छना चारण कविओ
🔸 चारण स्मृति (शाखा-प्रशाखा अने रीत रिवाजो


*आशानंदभाई गढवीना आगामी प्रकाशनो*

🔸चारण पुनशी (जीवन कवन)
🔸अपूज खांभीयुं (कच्छी वार्ता संग्रह)
🔸चारणोना चार पीर (मोर,लाधो,आमीयुं, रावळपीर)
🔸वीर वत्सराज सोलंकी - वाछरादादा
🔸कच्छना चारण रत्नो
🔸चारण चरित्र कोश
🔸कच्छना लोक देवी-देवता
🔸रसधरा-झरपरा (वार्तासंग्रह)
🔸कच्छी लोक मांथी
🔸गुजरातना गौररक्षको
🔸दूहो असांजे देशजो

     *वंदे सोनल मातरम*

19 जुलाई 2023

ચારણ મહાત્મા ઈસરદાસજી રચિત "હરિરસ"

 જય માતાજી 


ચારણ સમાજના ઉધ્ધારક પ્રાંત:સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ માના 100 માં જન્મોત્સવ *આઈશ્રી સોનલ જન્મ શતાબ્દી વર્ષ* અંતર્ગત ચારણ મહાત્મા ઈસરદાસજી રચિત "હરિરસ" ગ્રંથનું સુંદર રચનાત્મક ડિજિટલ સ્વરૂપે ભાઈશ્રી કલ્યાણભાઈ ગઢવી (મોટી ખાખર તા.મૂંદરા-કચ્છ) વાળા મહેનતથી તૈયાર કરવામાં આવેલ છે. જે આજરોજ પવિત્ર અધિક શ્રાવણ માસની સુદ-2 ના દિવસે આપ સમક્ષ મુકવામાં આવે છે. (આમ તો ઘણા સમય થી દરરોજ સોસિયલ મીડિયા પર હરિરસનું એક દુહો એના અર્થ સાથે સુંદર અને રચનાત્મક ડિઝાઈન મા તૈયાર કરી કલ્યાણભાઈ દ્રારા મોકલવામાં આવે છે) આ હરિરસનું પ્રફુ રિડીગ આદરણીય વડીલશ્રી મહિદાનભાઈ ગઢવી (આદિપુર) દ્રારા કરવામાં આવેલ છે. 

દરરોજ પાઠ કરી શકાય એવી રીતે હરિરસના દુહા સાત ભાગોમાં તૈયાર કરવામાં આવેલ છે. 

ભાઈશ્રી કલ્યાણભાઈ દ્રારા બહુ જ ઉમદા કાર્ય નિઃસ્વાર્થ ભાવે યુવા પેઢીને આપણું અમૂલ્ય સાહિત્ય સરળતા થી ઉપલબ્ધ થાય એ માટે આ ભગીરથ કાર્ય પોતાનું અમૂલ્ય સમય કાઢી નોકરી સાથે આ ભગીરથ કાર્ય કરેલ છે.

હરિરસ ભાગ-1 દુહા 1 થી 50 :-  અહી કલીક કરો

હરિરસ ભાગ-2 દુહા 51 થી 100 :-  અહી કલીક કરો

હરિરસ ભાગ-3 દુહા 101 થી 150 :- અહી કલીક કરો


 હરિરસ ભાગ-4 દુહા 151 થી 200 :-  અહી કલીક કરો


હરિરસ ભાગ-5 દુહા 201 થી 250 :- અહી કલીક કરો


 હરિરસ ભાગ-6 દુહા 251 થી 300 :-  અહી કલીક કરો


હરિરસ ભાગ-7 દુહા 301 થી 361 :- અહી કલીક કરો


આ ભગીરથ કાર્ય માટે ભાઈશ્રી કલ્યાણભાઈ ગઢવીને ખૂબ ખૂબ અભિનંદન

વંદે સોનલ માતરમ્

16 जून 2023

ચારણ ગઢવી સમાજનું ગૌરવ - ઋત્વાબેન અજયભાઈ ગઢવી

ચારણ ગઢવી સમાજનું ગૌરવ - ઋત્વાબેન અજયભાઈ ગઢવી (બાલીયા) - જુનાગઢ
ધોરણ-12 માં 99.18 PR 

ગુજકેટ માં 99.51 PR

નીટ(NEET) માં 99.52 PR

બેનશ્રી ઋત્વાબેન અજયભાઈ બાલીયા અને એમના માતા પિતા તથા પરિવારને ચારણી સાહિત્ય બ્લોગ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

3 जून 2023

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

 


ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા ચારણ - ગઢવી સમાજના વિદ્યાર્થીઓ ને સ્કોલ૨શીપ વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વર્ષ-૨૦૨૩/૨૦૨૪ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલરશીપ આપવાનું નકકી કરેલ છે જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાય૨ એજયુકેશન (મેડિકલ, સી.એ., એન્જિનીયરીંગ તથા અન્ય)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓન અરજી ફોર્મ તા.૪/૬/૨૦૨૩થી વિતરણ કરવામાં આવશે, જે ફોર્મમાં તમામ કોલમ ભરી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૧૮/૬/૨૦૨૩ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯- સુર્યા આર્કેડ, ૧૧૨–પંચનાથ પ્લોટ, બેંક ઓફ બરોડા પાસે, હેડ પોસ્ટ ઓફિસ નજીક, રાજકોટ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહી કરવા વિનંતી કરવામાં આવે છે.


ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ – રાજકોટ
(ચંદુભાઈ સાબા) 
પ્રમુખ
(૨ામભાઈ જામંગ)
મેનેજીંગ ટ્રસ્ટી

21 मई 2023

આઈશ્રી સોનલ મા જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ @ હરિદ્વાર

ચારણ સમાજના ઉધ્ધારક પ.પૂ. આઈશ્રી સોનલ માના
જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ @ કચ્છી આશ્રમ,હરિદ્વાર 
વક્તા : શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોષી
ફોટો બાય :- વીપી ડીજીટલ સ્ટુડિયો, મોટા ભાડીયા

Sponsored Ads

ADVT

ADVT