.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

12 अक्तूबर 2024

આઈશ્રી આવળ મા મંદિર શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ આમંત્રણપત્રિકા

 આઈશ્રી આવળ મા મંદિર શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ આમંત્રણપત્રિકા



આઈશ્રી આવળ માના નૂતન મંદિર ના શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ વિક્રમ સવંત 2080, આસો વદ- આઠમ તા. 24-10-2024ના રોજ વિજપાસર મધ્યે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ શુભ પ્રસંગે પધારવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.


કાર્યક્રમ ની રૂપરેખા


તારીખ :- 24-10-2024, ગુરૂવાર


🔴 યજ્ઞ પુજન સવારે 6-30 થી 8-30 કલાકે


🔴 ભૂમિ પૂજન સવારે 9-00 કલાકે


🔴 માતૃ પ્રસાદ સવારે 10-00 થી બપોરે 2-00 કલાકે


🔴 રાસ ગરબા બપોરે 2-00 થી સાંજે 7-00 કલાકે


🔴 માતૃ પ્રસાદ સાંજે 7-00 થી રાત્રે 10-00 કલાકે


🔴 સંતવાણી રાત્રે 10-00 કલાકે


સ્થળ :- 

આઈશ્રી આવળ મા ધામ

વિજપાસર (સુખપર), તા. નખત્રાણા - કચ્છ


આમંત્રણ પત્રિકા જોવા માટે :- અહી ક્લીક કરો


નિમંત્રક

આઈશ્રી આવળ ધામ વિકાસ ટ્રસ્ટ


જય આવળ મા


*વંદે સોનલ માતરમ્*

2 सितंबर 2024

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ



કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અને મૂળ કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ઝરપરા ગામના વતની શિવરાજભાઈ ધનરાજભાઈ ગીલવા (ગઢવી) સાહેબ એ *સરકારશ્રી ફરજ બજાવતા સાથે 2 વર્ષ પહેલા નેશનલ લૉ યુનિવર્સીટી, બેંગ્લોર ખાતે પ્રોફેશનલ કંટીન્યુઇન્ગ એજ્યુકેશન અંતર્ગત Master of Business Law નો અભ્યાસ શરૂ કરેલ હતો આ કોર્ષ LLM લેવલ નો હોય છે તથા business સ્પેશ્યલ કાયદાઓનો અભ્યાસ  છે, આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. તેમજ આ કોર્ષની ડીગ્રી પ્રમાણપત્ર કોન્વોકેશન 22 સપ્ટેમ્બર ના રોજ બેંગ્લોર ખાતે યોજાશે જેમાં ડિગ્રી આપવામાં આવશે.*

શાળા સમયેથી જ તેજસ્વી વિધાર્થી હતા. આગળ જતાં 2011 માં GPSC ની પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે નિમણુંક થયેલ.

પ્રમાણિક કચ્છી અધિકારીની છાપ ધરાવતા અને કચેરીને લગતા પ્રજાના કામો કરવામાં હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરનાર, સરળ વ્યકિત, વર્ષ 2016 મા ચૂંટણી પંચ, ગાંધીનગર દ્રારા બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (13-ડીસા) તરીકે રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત  કરવામાં આવેલ.

અગાઉ પ્રાંત અધિકારી તરીકે પાલનપુર, રાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મહેસાણા તથા ડીસા મામલતદાર તરીકે ફરજ બજાવી ખૂબ જ પ્રશંનીય કામગીરી કરેલ. હાલ ત્યાંના સ્થાનિક લોકો શિવરાજભાઈ ની કામગીરીને યાદ કરે છે. હાલે ગાંધીનગર સચિવાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે.

વધારે માહિતી માટે


18 अगस्त 2024

ચારણી સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવીને રાજયકક્ષાનો સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ દ્રારા સન્માન કરવામાં આવેલ

ચારણી સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવીને રાજયકક્ષાનો સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ દ્રારા સન્માન કરવામાં આવેલ

ચારણ સમાજનું ગૌરવ એવા ઈતિહાસકાર, પ્રવચનકાર, સફળ ઉદઘોષક, કાવ્યશાસ્ત્ર, પિંગળ શાસ્ત્રના જ્ઞાતા, ડિંગળ સાહિત્યના જાણકાર, આદર્શ શિક્ષક, શ્રેષ્ટ આચાર્ય, ચારણી સાહિત્યકાર, કવિ, લેખક, પત્રકાર એવા શ્રી આશાનંદભાઈ ગઢવી (ઝરપરા)ને કલાતીર્થ સુરત દ્રારા તા.17-08-2024ના રોજ ભુજ-કચ્છ મધ્યે સન્માન કરવામાં આવેલ.


चारण कवि तथा लेखकश्री आशानंदभाई गढवीनुं परिचय

नाम :-आशारिया सुराभाई रविया
जन्म :- भादरवा सूद-1 ता.15-09-1966
शाखा :- सेडा (गुंगडा),
गोत्र :- तुंबेल
जन्मभूमि :- ओखा मीठापुर - सुरजकरडी
व्यवसाय :- प्राथमिक शिक्षक
सरनामुं :- सिंधु भवन,पदरोड वाडी, मुं. झरपरा ता.मुंदरा-कच्छ
मो-9824075995

आशानंदभाई गढवीना प्रकाशित थयेल पुस्तको

🔹विरह पदावली (संपादन)
🔹प्रेम झरणु पदावली (संपादन)
🔹कच्छना धर्मरक्षक संत शेषावतारश्री रावळपीर दादा
🔹सोनल चरित्र
🔹नंदनवन (काव्य संग्रह)
🔹सोनल चालीसा (स्तुति काव्य)
🔹श्री देवाविलास तथा सुबोध बावनी (संपादन)
🔹आईश्री सोनल कथामृत (जीवन चरित्र)
🔹वीर कवि वारु (जीवन चरित्र)
🔹चारण आई परंपरा

🔹कच्छना चारण कविओ

🔹धन्य धरा-झरपरा (ग्रामायण)

🔹चारण स्मृति (शाखा-प्रशाखा अने रीत रिवाजो


आशानंदभाई गढवीना आगामी प्रकाशनो


🔹चारण पुनशी (जीवन कवन)
🔹अपूज खांभीयुं (कच्छी वार्ता संग्रह)
🔹चारणोना चार पीर (मोर,लाधो,आमीयुं, रावळपीर)
🔹वीर वत्सराज सोलंकी - वाछरादादा
🔹कच्छना चारण रत्नो
🔹चारण चरित्र कोश
🔹कच्छना लोक देवी-देवता
🔹रसधरा-झरपरा (वार्तासंग्रह)
🔹कच्छी लोक मांथी
🔹गुजरातना गौररक्षको
🔹दूहो असांजे देशजो

संपर्क :- 9824075995

Sponsored Ads

ADVT

ADVT