.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

9 फ़रवरी 2025

અખિલ કચ્છ ચારણ સભા સંચાલીત સમૂહ લગ્ન સમિતિ, માંડવી આયોજીત આઈશ્રી સોનલ મા પ્રેરીત 29 મો સમૂહલગ્નોત્સવ-2025

કચ્છ ચારણ સમાજ જોગ સંદેશ

અખિલ કચ્છ ચારણ સભા સંચાલીત સમૂહ લગ્ન સમિતિ, માંડવી  આયોજીત આઈશ્રી સોનલ મા પ્રેરીત 29 મો સમૂહલગ્નોત્સવ-2025 

સમૂહ લગ્ન તા.30-04-2025, અખાત્રીજ

ફોર્મ ભરવાની છેલ્લી તા. 05/04/2025

વહેલી તકે નામ નોંધાવી સહકાર આપવા વિનંતી. 

આ મેસેજ દરેક ગામના ગ્રુપોમાં મોકલી સહકાર આપવા વિનંતી

વંદે સોનલ માતરમ

5 जनवरी 2025

ચારણ ગઢવી સમાજના પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જોગ સંદેશ

*ચારણ ગઢવી સમાજના પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જોગ સંદેશ*

લોક રક્ષક ભરતી દ્રારા યોજાનારી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી (ગ્રાઉન્ડ) પરીક્ષા તા.08-01-2025 થી શરૂ થવાની છે. તો ચારણ ગઢવી સમાજના ઉમેદવારો માટે નીચે મુજબના જિલ્લાઓમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો *વહેલી તકે નીચે આપેલ નંબરો પર સંપર્ક કરી નોંધણી કરાવવા વિનંતી છે. જેથી વ્યવસ્થાપકોને વ્યસ્થા કરવામાં સરળતા રહે.*

*(1) જુનાગઢ*
સ્થળ :- શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ કુમાર છાત્રાલય
હરેશભાઈ પતાણી 9898712886
મુકેશભાઈ જામ 9016731120
ગીરીશભાઈ મોડ 9924832610

*(2) જામનગર*
આઈશ્રી સોનલ મા મંદિર
દેવીદાનભાઈ ગઢવી 9979256248
કરણદાનભાઈ ગઢવી 9979029055

*(3) મહેસાણા*
સૌરભભાઈ ગઢવી 7802078228
નિહારદાનભાઈ ગઢવી (મહેસાણા પોલીસ) 7778968123

*(4) સૈજપુર બોઘા જુથ-2 અમદાવાદ*
દિલીપદાનભાઈ ગઢવી 6351606040

*(5)SRP-ગોધરા*
 સરનામું:આઇ શ્રી ખોડિયારમાં મંદિર, ગોધરા લુણાવાડા હાઇવે, બાયપાસ નજીક
 *સંપર્ક નંબર:* 
(1) હાર્દિક ગઢવી-7990552010
(2) ભરત ગઢવી- 8200070610
(3) હિતેશ ગઢવી -8200144946
(4) ખોડાભાઈ ગઢવી-9510820620
(5) વિપુલ ગઢવી -8200507545

*(6) ગોંડલ*
માણસુરભાઈ ગઢવી 8160482032
કિશોરદાનભાઈ ગઢવી 9724175432

ચારણ ગઢવી સમાજના ઉમેદવારો માટે વ્યવસ્થા કરનાર સર્વેનું ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન


*વંદે સોનલ માતરમ્*

12 अक्टूबर 2024

આઈશ્રી આવળ મા મંદિર શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ આમંત્રણપત્રિકા

 આઈશ્રી આવળ મા મંદિર શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ આમંત્રણપત્રિકા



આઈશ્રી આવળ માના નૂતન મંદિર ના શિલાન્યાસ ભૂમિ પૂજન કાર્યક્રમ વિક્રમ સવંત 2080, આસો વદ- આઠમ તા. 24-10-2024ના રોજ વિજપાસર મધ્યે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ શુભ પ્રસંગે પધારવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.


કાર્યક્રમ ની રૂપરેખા


તારીખ :- 24-10-2024, ગુરૂવાર


🔴 યજ્ઞ પુજન સવારે 6-30 થી 8-30 કલાકે


🔴 ભૂમિ પૂજન સવારે 9-00 કલાકે


🔴 માતૃ પ્રસાદ સવારે 10-00 થી બપોરે 2-00 કલાકે


🔴 રાસ ગરબા બપોરે 2-00 થી સાંજે 7-00 કલાકે


🔴 માતૃ પ્રસાદ સાંજે 7-00 થી રાત્રે 10-00 કલાકે


🔴 સંતવાણી રાત્રે 10-00 કલાકે


સ્થળ :- 

આઈશ્રી આવળ મા ધામ

વિજપાસર (સુખપર), તા. નખત્રાણા - કચ્છ


આમંત્રણ પત્રિકા જોવા માટે :- અહી ક્લીક કરો


નિમંત્રક

આઈશ્રી આવળ ધામ વિકાસ ટ્રસ્ટ


જય આવળ મા


*વંદે સોનલ માતરમ્*

2 सितंबर 2024

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ



કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અને મૂળ કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ઝરપરા ગામના વતની શિવરાજભાઈ ધનરાજભાઈ ગીલવા (ગઢવી) સાહેબ એ *સરકારશ્રી ફરજ બજાવતા સાથે 2 વર્ષ પહેલા નેશનલ લૉ યુનિવર્સીટી, બેંગ્લોર ખાતે પ્રોફેશનલ કંટીન્યુઇન્ગ એજ્યુકેશન અંતર્ગત Master of Business Law નો અભ્યાસ શરૂ કરેલ હતો આ કોર્ષ LLM લેવલ નો હોય છે તથા business સ્પેશ્યલ કાયદાઓનો અભ્યાસ  છે, આ કોર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. તેમજ આ કોર્ષની ડીગ્રી પ્રમાણપત્ર કોન્વોકેશન 22 સપ્ટેમ્બર ના રોજ બેંગ્લોર ખાતે યોજાશે જેમાં ડિગ્રી આપવામાં આવશે.*

શાળા સમયેથી જ તેજસ્વી વિધાર્થી હતા. આગળ જતાં 2011 માં GPSC ની પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે નિમણુંક થયેલ.

પ્રમાણિક કચ્છી અધિકારીની છાપ ધરાવતા અને કચેરીને લગતા પ્રજાના કામો કરવામાં હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરનાર, સરળ વ્યકિત, વર્ષ 2016 મા ચૂંટણી પંચ, ગાંધીનગર દ્રારા બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (13-ડીસા) તરીકે રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત  કરવામાં આવેલ.

અગાઉ પ્રાંત અધિકારી તરીકે પાલનપુર, રાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મહેસાણા તથા ડીસા મામલતદાર તરીકે ફરજ બજાવી ખૂબ જ પ્રશંનીય કામગીરી કરેલ. હાલ ત્યાંના સ્થાનિક લોકો શિવરાજભાઈ ની કામગીરીને યાદ કરે છે. હાલે ગાંધીનગર સચિવાલય ખાતે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા (જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનું કાર્યલાય) ના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે.

વધારે માહિતી માટે


Sponsored Ads

ADVT

ADVT