Sponsored Ads
.
Sponsored Ads
27 जून 2026
28 जून 2025
પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ: - લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ
પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ:
હંસ તરંતો પરખીએ,
પાણી નદી વહંત.
સોનુ કસીને પરખીએ
માણસ વાત કહંત.
જેમની વાતોમાં વિવેક હોય, કથનની શૈલીમાં ગરિમા હોય તેમ જ જેની કહેણીમાં કઠોરતા ન હોય તેવા 'વાત ડાહ્યા' માણસો સમાજની શોભા સમાન હોય છે. ભીખુદાનભાઈમાં આ ગુણો સહજ રીતે ઉતરેલા છે.
વિશ્વકોશ ટ્રસ્ટ એ ગુજરાતના આભૂષણ સમાન સંસ્થા છે. સાહિત્યના આજીવન ભેખધારી ધીરુભાઈ ઠાકરની નિષ્ઠાનું તેમ જ કર્મઠ જીવનનું એ અનોખું સ્મારક છે. વિશ્વકોશ તરફથી લગભગ છેલ્લા એક દાયકાથી દર વર્ષે પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ વિવિધ કલા કે સામાજિક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવને અર્પણ કરવામાં આવે છે. લોકસાહિત્યની ઉજળી પ્રથા તેમજ પરંપરાના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ભીખુદાનભાઈ ગઢવીને ૨૦૨૫ના વર્ષ માટેનો સવ્યસાચી એવોર્ડ આપવામાં આવે છે તે ઘટના સાહિત્યના ક્ષેત્રમાં રસ ધરાવનાર સૌ કોઈ માટે મહત્વની તેમ જ યાદગાર ઘટના છે.
ભીખુદાનભાઇના અવાજમાં ગિરનારની ગરવાઇ છે. આજે જીવનના આઠમા દાયકે પણ હવા બાંધી લે તેવો જાદુ તેમના અવાજમાં છે. માતાજીની અસીમ કૃપા હોય તો જ આવું શક્ય બને. ભીખુદાનભાઈનું વ્યક્તિત્વ એ સૌજન્ય તથા સરળતાએ માનવદેહ ધારણ કર્યો હોય તેવું લાગે છે. ભાવનગરના ગૌરવ સમાન કવિ તથા વક્તા બળદેવભાઈ નરેલાની પાવન સ્મૃતિ ભીખુદાનભાઈને મળીએ ત્યારે થયા કરે છે. જયારે તેઓ બોલતા હોય ત્યારે તેમની વાતોમાં એક સંસ્કારધારાનો પ્રવાહ વહે છે. કુટુંબના સૌ સભ્યો સાથે બેસીને માણી શકે તેવો તેમનો વાત વૈભવ છે. મનોરંજનની વાતોમાં પણ વાણી વિવેકની મર્યાદા છે. ભગતબાપુએ માતાજી પાસે માંગણી કરી હતી તેવો ઉજળો વાણી પ્રવાહ તેમના કંઠેથી વહેતો થયો છે. ભગતબાપુ લખે છે:
ચારણો સૌ સરસ્વતીને સેવે
ગીત રામાયણ ગાય
સવળી જીભે બેસજે ચંડી,
(અમારી) વૈખરી વાણી જાય...
માતાજી હું એટલું માંગુ
પાયે તોય વિપળી લાગું.
ભીખુદાનભાઈ જેવા સરસ્વતી ઉપાસકોનું અક્ષરજ્ઞાન કદાચ ઓછું હોય તો પણ અંતરજ્ઞાન અગાધ છે. જાગૃતિ પૂર્વકનું લોકદર્શન એ તેમની શક્તિ છે. લોકદર્શનથી જ તેમનું લોક જોડાણ મજબૂત બને છે. તેમના પિતા ગોવિંદભાઇ ગઢવી એક સજ્જન તથા પરગજુ વ્યક્તિત્વ ધરાવતા ચારણ હતા. માણેકવાડા (જૂનાગઢ જિલ્લો)માં તેમની ખેતીની જમીન હતી. ગોવિંદબાપુને રામાયણ પ્રિય હતું. તેઓ રામાયણ ગાઈને પોતાની જાતને તેમજ સૌ સાંભળનારાઓને પ્રસન્ન કરતા હતા. તેમના કાકા રામભાઈ ગઢવી ચારણી સાહિત્યના સુપ્રસિદ્ધ ગ્રંથ 'અવતારચરિત્ર"ના અભ્યાસુ હતા. ભીખુદાનભાઇના સસરા મેકરણભાઇ લીલા પણ સારા કવિ હતા. મેકરણભાઇ પણ સમર્થ વાર્તાકાર ગગુભાઈ લીલાના પુત્ર હતા. ગગુભાઈ લીલાની અનેક વાતો એ સમાજને ડોલાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ તેમની અનેક વાતો પોતાના સર્જનોમાં વણી લીધી છે. લોકસાહિત્ય ઉપરાંત સામાજિક ક્ષેત્રોમાં પણ જયારે કોઈ લોકકલ્યાણ કે લોકહિતની વાત લોકો સુધી પહોંચાડવાની હોય ત્યારે ભીખુદાનભાઈએ આવી જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે. સામાન્ય રીતે વ્યવસાયિક રઝળપાટને કારણે ભીખુદાનભાઈની ઘરમાં સતત ગેરહાજરી રહે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં બહેન શ્રી ગજરાબહેને ઘરનો મોરચો સ્વસ્થતાથી સાંભળ્યો હતો અને બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હતું. તેના અનેક લોકો સાક્ષી છે.
ભીખુદાનભાઈને સુપ્રતિષ્ઠિત "પદ્મભૂષણ ડોકટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ" મળે એ સમગ્ર લોકધારાનું અદકેરું સન્માન છે. ધીરુભાઈ ઠાકરનું વ્યક્તિત્વ એ સર્વસમાવેશક હતું. તેમની સ્મૃતિમાં અપાતો આ એવોર્ડ પણ અનેક ક્ષેત્રોને અજવાળનારા લોકો સુધી પહોંચ્યો છે. જે ગૌરવપ્રદ ઘટના છે. ભીખુદાનભાઈની પ્રેરણાથી તૈયાર થયેલા લોકસાહિત્યના અનેક ઉગતા કલાકારો માટે પણ આ એવોર્ડ પ્રોત્સાહન સમાન છે. ભીખુદાનભાઈનું જીવન સ્વસ્થ તેમ જ સક્રિય રહે તેવી જગદંબા પાસે પ્રાર્થના છે.
વસંત ગઢવી
તા. ૧૬ જૂન ૨૦૨૫
લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ
19 सितंबर 2024
ઈન્દુબેન ધીરુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા આઈશ્રી સોનલ મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને રૂપીયા પચાસ લાખનું અનુદાન આપવામાં આવેલ
ઈન્દુબેન ધીરુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટ દ્રારા આઈશ્રી સોનલ મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને રૂપીયા પચાસ લાખનું અનુદાન આપવામાં આવેલ
6 नवंबर 2023
ચારણ સમાજનું ગૌરવ અધિક કલેકટર તરીકે પ્રમોશન
ચારણ સમાજનું ગૌરવ સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત, કર્મનિષ્ઠ અધિકારી એવા આદરણીયશ્રી શિવરાજભાઈ ગીલવા સાહેબ ને નાયબ કલેકટર (GAS) માંથી અધિક કલેકટર (GAS સિનિયર સ્કેલ) માં પ્રમોશન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
26 दिसंबर 2022
આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ બીજો દિવસ (સોનલબીજ) અહેવાલ
આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ બીજો દિવસ (સોનલબીજ) અહેવાલ
કચ્છમિત્ર મા અહેવાય - કરશન ગઢવી (મોટા ભાડીયા), રમેશ ગઢવી (કાઠડા), જીવરાજ ગઢવી (કોડાય)
સોનલ જન્મ શતાબ્દી વર્ષ પ્રવેશે ચારણી રંગ નિખર્યો
ઇશ્વરને પણ અવતરવાના અભરખા જાગે એવી ચારણી કૂખે અવતરેલા પૂ. આઇ સોનલમા માનવકલ્યાણ માટે પોતાનું આયખું સમર્પિત કરી જીવનપર્યંત શિવોપાસના સાથે સનાતન ધર્મની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાના આશય સાથે' પોતાના ચારણ સમાજને ચારણપણાનો પંથ દર્શાવી ગયેલા સોનલમાની યાદમાં ઊજવાતી સોનલ બીજની આજે માંડવીમાં અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરાઇ હતી, જેમાં ચારણી પ્રતિભાઓ, તેજસ્વી તારલા, રાજકીય આગેવાનો, પૂ. સંતો-માતાજીઓના સન્માન સાથે ચારણી રંગ નિતરતો રંગ' કસુંબલ ડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમો યોજાયા હતા. સોનલ જન્મ શતાબ્દી વર્ષ મંગલ પ્રવેશ અંતર્ગત થયેલા આ આયોજનમાં' ચારણો અને ચારણેત્તરની વિશેષ હાજરી ધ્યાનાકર્ષક રહી હતી. સમારોહને' સંબોધતાં માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ જીવનમાં' શિક્ષણક્ષેત્રે આગળ વધવા પૂ. સોનલમાએ ચીંધેલા માર્ગ પર ચાલવા અનુરોધ કરતાં કહ્યું હતું કે, જીવનમાં પુરુષાર્થ સાચો દેવ છે.' સાંસદ વિનોદભાઇ ચાવડાએ' દેવત્વ સાથે ચારણ ઉપરાંત અઢારે આલમમાં જીવન આચરણ, સમરસતા, વિકાસ અને પ્રકાશ પુંજનો પમરાટ પ્રસરાવી ગયેલા સોનલમા અઢારે આલમના આરાધ્ય માતાજી છે. નજીકના ભવિષ્યમાં' ભુજમાં ચારણ સમાજની દીકરીઓ માટે' સાવિત્રીબેન પુષ્પદાનભાઇ ગઢવીના નામકરણ સાથે નિર્માણ પામનારા કન્યા છાત્રાલય માટે રૂા. દસ લાખની ગ્રાન્ટની' આધ્યાત્મિક સંસ્કાર વારસાની' ચેતનવંતી જ્યોત જગાવી ગયેલા સોનલમા ભારતવર્ષના માતા છે.' આ શતાબ્દી મહોત્સવ પ્રવેશ વર્ષ ઊજવાઇ રહ્યો છે, ત્યારે' અનુરોધ કર્યો કે, ચારણોના કાંઠાળ વિસ્તારના તમામ ગામોમાંથી ગૌચર દબાણ દૂર થાય, કોઇ દબાણ ન કરે, સમાજ નશામુકત બને, પ્રકૃતિ અને પર્યાવરણના જતન સાથે શતાબ્દી મહોત્સવને ચાર ચાંદ લાગી જાય તેવા કાર્યો જેવા કે દરેક ગામોમાં સોનલ સ્મૃતિવન, સોનલ સરોવરનું નિર્માણ થાય. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે, ચારણ સમાજ પૌરાણિક સમયથી અમારા સમાજ સાથે નિકટતાનો નાતો ધરાવે છે અને સામાજિક સમરસતાથી રાષ્ટ્રની પ્રગતિમાં ભાગીદાર રહે છે.' ઘનશ્યામભાઇ મોડ (અમદાવાદ), કૈલાસદાનભાઇ ગઢવી (લાખોંદ)એ પણ સામાજિક વિકાસ સાથે આયોજકોની ભાવનાને બિરદાવી હતી. વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવીએ સોનલમાની અમીદૃષ્ટિથી કચ્છ ચારણ સમાજના થઇ રહેલા શૈક્ષણિક માળખાંનો ગ્રાફ સમાજના સહકારથી વધુ ઊંચો લાવવા અપીલ કરતાં કહ્યું કે, સમાજને હવે આઇએએસ, જીપીએસસીમાં વધારે યુવાનો પાસ થાય તે સમયનો સાદ છે. કેડીસીસીના ચેરમેન દેવરાજભાઇ ગઢવીએ શુભકામનાઓ વ્યકત' કરી છે. મંચસ્થ માંડવીના' નગરઅધ્યક્ષા હેતલબેન સોનેજી, જિ.પં. કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, ગત તા.પં. તથા જિ.પં.માં ચૂંટાયેલા સમાજના પ્રતિનિધિઓ, અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભાના મહામંત્રી મોમાયાભાઇ ગઢવી, મુખ્ય દાતા અરજણભાઇ ગઢવી, ચા. સમાજ મંત્રી ભીમશી બાપા, લોકસાહિત્યકાર રાજેશભાઇ ગઢવી, નારાણ કરમણ ગેલવા, રાયણ ચા. સમાજ પ્રમુખ હરિભાઇ ગઢવી, બાડા ગામે સોનલમા મંદિર નિર્માણના દાતા જયંતીભાઇ શાહ, વીઆરટીઆઇના કમલેન્દુ ભકત, ગોરર્ધન પટેલ વગેરેને આયોજક' સમિતિએ' સન્માનિત કર્યા હતા. પૂ. માતાજીઓ દેવલમા, ધનબાઇમા, લાછબાઇમા, આશામા, પૂ. સંતો કલ્યાણદાસજી બાપુ, અર્જુનનાથજી બાપુ સહિતનાઓની સંતવંદના કરાઇ હતી. પોલીસ ઇન્સ્પેક્ટરો શિવરાજ ગઢવી, મયૂર ગઢવી, મહેશભાઇ આહીર, જીપીએસસી પાસ કરેલા ટેક્સ ઇન્સ્પેક્ટર આશિષ ગઢવી, રૂપલબેન ગઢવી, યોગેશભાઇ ગઢવી, ડો. દેવાંશી ગઢવી સહિતના પીઆઇ, પીએસઆઇ, તેમજ જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલી સમાજની તમામ પ્રતિભાઓને' સમાજે વધાવી હતી. નિરંજન બાપુ ચે. ટ્રસ્ટ તેમજ કૈલાસદાન કરણીદાન ગઢવી (સીએ) તેમજ શહીદ વીર માણશી ગઢવીની સ્મૃતિમાં ચારણ સમાજમાં ધો. 10માં સમાજમાં 91.67 સાથે પ્રથમ નંબરે આવેલા બે છાત્ર જયશ્રીબેન રતનભાઇ ગઢવી (મોટા ભાડિયા), હાર્દિકદાન કરણીદાન ગઢવી (વરણું), ધો. 12માં સમાજમાં 92.20 ટકા સાથે પ્રથમ આવેલી ઓમિકા રામભાઇ ગઢવી (ઝરપરા)ને રનિંગ શિલ્ડ અને ટ્રોફી તેમજ ધો. 10-12 તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસમાં સારા ગુણ મેળવનાર સમાજના કુલ્લ 384 વિદ્યાર્થીઓને' શિષ્યવૃત્તિ વિતરિત કરાઇ હોવાનું સંયોજક નાગાજણ ગઢવીએ જણાવ્યું હતું. કસુંબલ લોકડાયરામાં સમાજના પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ શૌર્યગાનને સમાવતી વિવિધ રચનાઓ, ભક્તિપદો રજૂ કરતાં ઉમેર્યું હતું કે, સોનલબાઈમાનું જીવન ભારતીય ગરવાઈ અને અસ્મિતાને સમર્પિત હતું. ભારત દુનિયા માટે સંસ્કારનું ઉદ્ગમસ્થાન, સિંચન કરતો દેશ છે. માના ઉત્તરદાયિત્વ પાસે શબ્દોના સીમાડા ટૂંકા પડે. ગુજરાતના ગૌરવાન્વિત કલાકાર કે જેની જીભલડીના ટેરવે મા શારદાના બેસણા હતા તેવા સ્વ. કવિ દાદુદાનભાઈ ગઢવીના પુત્ર જીતુભાઈ દાદે (ગઢવી)એ સોનલમા દૃષ્ટિએ ચારણ વીરરસ, શાંતરસનું ગાન કરતી અદ્ભુત રચનાઓ પ્રસ્તુત કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. પ્રારંભે આજે સવારે દેવલબેન ગઢવી (નાની રાયણ)ના કંઠે ગવાયેલી `સોનલ તું સાદ અમારો, હૈયડે વિશ્વાસ તમારો, પાંખ મને દીધી હોત તો સોનલ, હું નીત મઢડે જાત, જેવી માતાજીની ચરજોએ શક્તિમય ભાવજગતનું નિર્માણ કર્યું હતું. તેમની પ્રસ્તુતિને સમાજે દાદ આપી હતી.
સંતવાણીમાં સોનલ સરોવર માટે 5.25 લાખ એકત્ર
સોનલ બીજની પૂર્વ સંધ્યાએ લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગના પટાંગણમાં યોજાયેલી સંતવાણીમાં દેવરાજભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી (ભાડિયા), બિરજુ બારોટ, હરિઓમ ગઢવી (આદિપુર) સહિતના કલાકારોએ માતૃભક્તિના ઓવારણા લેતાં ભજનો રજૂ કરી શક્તિતત્ત્વને પોંખ્યું હતું, જેમાં કલાકાર દેવરાજ ગઢવીએ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા `સોનલ સરોવર'નું સમાજના ગામોમાં નિર્માણ કરવાનું આહ્વાન કરતાં ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ ગઢવી અને દાતા પ્રભુભાઈ રામભાઈ ગઢવી તરફથી રૂા. 2.51 લાખ જાહેર કરાતાં રૂા. પાંચ લાખ બે હજાર આપી આ કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી હતી. ઉપરાંત કલાકાર દેવરાજભાઈ તેમજ દેવાંગભાઈ ગઢવી (નાના ભાડિયા) તરફથી પણ 22,000નું દાન મળતાં દાનની રકમ 5.25 લાખે પહોંચી હતી. ભજનાનંદી પાલુભાઈ ગઢવી, રાણશી ગઢવી (કોડાય), દેવરાજ હરિભાઈ ગઢવી, કાઠડા કુટિરના વિરમબાપુ, મૂરજીભાઈ મંધરિયા (ઉનડોઠ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કવિ શ્યામે અને ડાયરાનું સંચાલન સાહિત્યકાર હરિભાઈ ગઢવીએ કર્યું હતું. રવિવારે સાંજે માતૃશક્તિ મહિમાગાન સ્વરૂપે ખીમરાજભાઈ ગઢવી અને ગ્રુપ દ્વારા મહાઆરતી યોજાઈ હતી. સામાજિક ઐક્ય અને ભાવનાત્મકતાના સંગમ સાથે સમાજના સહકારથી સફળતાપૂર્વક પાર પડાયેલા આ આયોજન બદલ સોનલ બીજ ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વર અરજણભાઈ ગઢવી, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને પૂ. દેવલમાએ કચ્છી પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. ઉત્સવમાં સહભાગી વિવિધ સમિતિઓ, કાર્યકરોને સમિતિના ઉપાધ્યક્ષો ધનરાજ પુનશી, ધનરાજ કરમણ તેમજ આગેવાનો વીરેન્દ્રભાઈ, દમયંતીબેન બારોટ, મિત્રજિત વિજય ગઢવી, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઈ ગઢવી, સ્વામી સુખાત્માનંદ, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, કોડાય ચા.સ. પ્રમુખ વાછિયાભાઈ ગઢવી, રાજપૂત સમાજ અગ્રણી રામસંગજી જાડેજા, હરિભાઈ સામરા, ખીમરાજભાઈ ગઢવી વિ.ના હસ્તે સન્માનિત કરાયા હતા. આગામી 11 જેટલી સોનલ બીજની ઉજવણીના મુખ્ય દાતાઓની નામાવલિ જાહેર કરાઈ હતી. આયોજન વ્યવસ્થામાં સામરા રણમલ, હરદાસ પાસ્તા, નારાણ ગઢવી (પાંચોટિયા), મોહન ગઢવી (રાયણ), રાઘવદાન ગઢવી, વાલજી ગઢવી, થારૂભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, સામત ગઢવી, માણેક ગઢવી, દેવાંગ ગઢવી સહિતનાઓ તેમજ ગઢવી મિત્રમંડળની આગેવાની હેઠળ કાઠડા, કોડાય, ભાડા, રાયણ, રતડિયા, બ્રહ્મપુરી-માંડવી, ભાડિયા સહિતના ગામોના કાર્યકરો સહયોગી રહ્યા હતા. સંચાલન મોમાયાભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવીએ અને આભારવિધિ હરિભાઈ ગઢવીએ કરી હતી.
આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ પ્રથમ દિવસીય અહેવાલ
આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ પ્રથમ દિવસીય અહેવાલ
ચારણત્વને છાજે તે રીતે શક્તિતત્ત્વનું જતન કરવા હાકલ
કચ્છમિત્ર મા અહેવાય - કરશન ગઢવી (મોટા ભાડીયા), રમેશ ગઢવી (કાઠડા), જીવરાજ ગઢવી (કોડાય)
દેવકુળ ચારણ જાતિને પોતાના સ્વત્વનું ભાન કરાવવા તથા ઉન્નતિનાં શિખરો તરફ દોરી જવા જેમનું આ સૃષ્ટિમાં અવતરણ થયું એ મહાશક્તિ પૂ. આઇ સોનલમાની યાદમાં ચારણ સમાજ દ્વારા ઉજવાતા પાવનપર્વ સોનલ બીજની આજે માંડવી ખાતે બે દિવસીય ઉજવણીનો હજારો ચારણોની ઉપસ્થિતિમાં પ્રારંભે શોભાયાત્રા, દાતાઓના સન્માન, ધર્મસભા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ચારણોએ એકતાનાં દર્શન સાથે સોનલ શક્તિના ગૌરવગાન કર્યા હતા. આ અવસરે યોજાયેલ ધર્મસભાને સંબોધતાં મોગલધામ કબરાઉના સંત અને ચારણઋષિ સામતબાપુએ ચારણોને પોતાની જાતનો નશો હોવો જોઇએ. અન્ય તમામ નશાઓથી દૂર રહી ચારણત્વને છાજે તે રીતે શક્તિતત્ત્વનું સેવન કરી નિજત્વને જગત સમક્ષ મૂકવાની તરફેણ કરવા ઉમેર્યું હતું. વવારના સંત પૂ. પાલુ ભગતે ચારણી શક્તિઓએ આપેલા સિદ્ધાંતને કેન્દ્રસ્થ રાખવાની હિમાયત કરી હતી. રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ સમાજે કરેલી આયોજન વ્યવસ્થાને બિરદાવતાં ઉમેર્યું હતું કે, એકત્વ સાથે થતું કાર્ય ગતિ પામે છે. આઇ પરંપરાના વાહક પૂ. દેવલમા (ભાડા)એ જણાવ્યું કે, આજના દિવસભરના સફળતા પામેલા કાર્યક્રમોમાં જો કોઇ શક્તિ કાર્ય કરતી હોય તો તે સોનલમા જ છે. જશવંતભાઇ?લાંબાએ ચારણી સાહિત્યરસ પીરસ્યો હતો. અઢી દાયકા સુધી માતાજીના અંતેવાસી રહેલા સમર્પિત સમાજસેવક અને જાણીતા લેખક વિદ્વાન ચારણ પુરુષ સ્વ. પીંગળશી પરબતભાઇ પાયક (લોદ્રાણી) રાપર દ્વારા પૂ. સોનલમાના જીવનચરિત્ર, તેમના દ્વારા સમાજ ઉત્થાન માટે કરાયેલા કાર્યો, પ્રવાસો વગેરેના જીવન-કવનને આવરી લેતું પુસ્તક `માતૃદર્શન' આજથી ઘણા વરસો અગાઉ બહાર પડાયું હતું જેની પુન: પ્રિન્ટ નવા સ્વરૂપે `સોનબાઇમા માતૃદર્શન જીવન ઇતિહાસ સંહિતા'નું દેવલમા, ગિરીશ આપા (મઢડા) તથા અગ્રણીઓના હસ્તે વિમોચન કરાયું હતુ. પાયક પરિવારના અગ્રણી અનિલ ભરતભાઇ પાયકે પુસ્તક વિશે વિસ્તૃત માહિતીથી ઉપસ્થિતોને અવગત કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન મંચસ્થ આગેવાનો માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવી (ભુજ), મુખ્યદાતા અરજણભાઇ ગઢવી, અગ્રણી વીરેન્દ્રભાઇ કાનાણી, ધારાસભ્યો અનિરુદ્ધભાઇ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રભુભાઇ ગઢવી (ખાખર), મુંદરા તા. ચા. સમાજ પ્રમુખ ડોસાભાઇ ગઢવી, જિ.પં. કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, રાણશી ગઢવી (કોડાય), એન. આર. ગઢવી (જનાણ), પાલુભાઇ ગઢવી (ભજનાનંદી), માંડવી બાર પ્રમુખ ખેરાજ ગઢવી, મુંદરા તા.પં. ઉપપ્રમુખ રતનભાઇ ગઢવી, વિપુલ ગઢવી (ગાંધીધામ), બાબુ ગઢવી (સરપંચ-વવાર), સોનલધામ કાઠડા અધ્યક્ષ જાદવજીભાઇ ગઢવી, હિરજીબાપા કારાણી સહિતનાઓને સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવી, અગ્રણી દેવરાજ હરિભાઇ, સમિતિના ઉપાધ્યક્ષો ધનરાજ પુનશી, ધનરાજ કરમણ, ધનાભા, આનંદ ગઢવી તથા અન્ય સભ્યો દ્વારા સન્માનિત કરાયા હતા. ઉજવણીના મુખ્યદાતા અરજણ લધાભાઇ ગઢવી (નાની રાયણ)ને દેવલમા અને પુષ્પદાનભાઇના હસ્તે વિશિષ્ટ રીતે સન્માનિત કરાયા હતા. માજી ડેપ્યુટી કલેક્ટર અને દાતા દમયંતીબેન બારોટને મહિલા અગ્રણી સાવિત્રીબેન વિજયભાઇ ગઢવીના હસ્તે સન્માન કરાયું હતું તેમજ અન્ય લાખેણા દાનવીરો ઉપરાંત અન્ય સહયોગી તમામ દાતાઓને સમિતિએ સન્માન્યા હતા. પ્રારંભે ગઢવી મિત્રમંડળ દ્વારા ખીમકરણ?દેવીદાન આલગા ચારણ કન્યા છાત્રાલય ખાતે ગઢવી મિત્રમંડળ માંડવી દ્વારા નિર્માણ પામેલ અન્નપૂર્ણા ભવનની અર્પણવિધિ કરાઇ હતી. અદાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહને સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવીના હસ્તે સન્માનિત કરાયા હતા. બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગના પટાંગણમાં રીનોવેશન થયેલ સોનલ ભવન બિલ્ડિંગનું બોર્ડિંગના સંચાલક ભીમશી બાપાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. 18 લાખથી વધારાની લાગતથી વિદ્યાર્થીઓની સુખાકારી માટે નિર્માણ પામેલ આ બિલ્ડિંગના કાર્યને સમાજે વધાવી લીધું હતું. શહેરની અંદર આવેલા કન્યા છાત્રાલયથી રાપરથી સિંધોડી સુધીના ચારણોના તમામ ગામોમાંથી સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી તેમજ સામાજિક ચેતનાની ઝાંખી કરાવતી વિવિધ?જાતની થીમ સાથે આવેલા રથોની શોભાયાત્રાએ માંડવી શહેરમાં આકર્ષણ સાથે ચારણપણાનો નિખાર વ્યક્ત કર્યો હતો. લોકગાયક ખીમરાજ ગઢવીના કંઠે આ શોભાયાત્રામાં શકિતતત્ત્વના, ચારણી શૌર્યના, માતાજીને બિરદાવતા વિવિધ ભક્તિ પદોનું ગાયન કરાયું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કૈલાશદાન (પ્રમુખ-અંજાર ગઢવી સમાજ), શિવરાજ ગઢવી (પ્રમુખ-આદિપુર), વિપુલભા ગઢવી (પ્રમુખ-ગાંધીધામ), મનુભા ગઢવી?(પ્રમુખ-ભચાઉ), કિશોરભા ગઢવી (પ્રમુખ-રાપર), અખિલ ભારત ચારણ ગઢવી મહાસભાના મહામંત્રી મોમાયાભાઇ ગઢવી, મહાસભાના યુવા પ્રમુખ?રાઘવભા ગઢવી, મંત્રી મિત્રજીત ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને વ્યવસ્થામાં ચારણ સમાજના ગામોની વિવિધ?ટીમ ઉપરાંત નાગાજણ ગઢવી, સામરા રણમલ, વાલજી ગઢવી, ભીમશી ગઢવી, ભારૂ ગઢવી, નગરસેવક રાજેશ કાનાણી, મોહન ગઢવી (રાયણ), નારાણ ગઢવી (રાયણ), દિનેશ ગઢવી (કાઠડા), દેવાંગ ગઢવી, મેઘરાજ ગઢવી, ભારૂ ગઢવી (કાઠડા) સહિતના સેવકો સહયોગી બની રહ્યા છે. સોનલ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આવતીકાલે સોનલ બીજની ઉજવણી કરાશે. સંચાલન આશાનંદ ગઢવી, મોમાયાભાઇ, વિશ્રામભાઇ, સાત્ત્વિકદાને સંયુક્ત રીતે કર્યું હતું. આજે શૈક્ષણિક-પ્રતિભા સંપન્ન સન્માન, લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે.



