.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

23 अप्रैल 2020

|| અફવા ||

*|| અફવા ||*
*|| કર્તા મિતેશદાન ગઢવી(સિંહઢાય્ચ) ||*


*કુદરત તારા કામને,ઘણાય કરે મન ઘા,*
*આવી કૈક અફવા,મલક મા ફરતી મિતભા,(૧).*


હે સૃષ્ટિના સર્જન હાર કેવી રચેલી તારી કળા અદભુત છે,તો પણ આ સૃષ્ટિ મા ક્યાંક આ અફવા જ છે કે સુ ખરેખર કુદરત છે કે નહિ,



*પડકારી ને પામિયો,વિજ્ઞાન તણો આ વા,*
પણ
*આવી કૈક અફવા,માનતો માનવ મિતભા(૨).*


અદભુત કેવાય હો,હાલ તો કેવી કેવી અફવા ફેલાય,પૃથ્વી પર મોટો પથરો આવે છે,2012 મા વિનાશ થાશે,ઓહોહો પણ આ ઘટનાઓ ની માહિતી કોણ આપે,વિજ્ઞાન નો વા(વાયરો) જ હોય ને,અને આ બધું સાંભળી માનવી પોતાના મન મા એ જ સમજે,પણ કુદરત છે ને એ કોઈ દી અફવા સાચી ન થવા દે,જેણે બનાવ્યું છે એના સિવાય કોઈ નાશ કરી શકે એમ નથી,,,


*પથ્થર માંથી પ્રગટતો,એમ દુનિયા રમતી દા*
*આવી જ કૈક અફવા,માન ભુલાવે મિતભા(૩)*


ભગવાન દરેક મા વસે છે દરેક જગ્યાએ એ પણ એને શ્રધા પૂર્વક રદય થી પુજો તો સાચો બાકીઆજ ની  દુનિયાતો એક પથરો મૂકી દે ને કે અહીં તો વર્ષો થી આ પથરો છે પ્રગટ થયો છે,સાક્ષાત છે ભગવાન ના નામેં અફવા કરી ને પણ લોકો પૈસા કમાય આ અફવાનો કમાલ છે નકર દુનિયાના આવા દાવ મા કોણ માને


*લાક્ષાગ્રહ લય લાખમા,ભાવે પુરાણા ભા*
પણ
*આવી જ કૈક અફવા,માની ન લેવી મિતભા(૪)*

દુર્યોધન અને શકુની ના માયાજાળ કપટ અને એ ખોટા ભાવુકપણા ને આધીન તો એમના ભાઈઓ ને પણ મોત ને ઘાટ ઉતારવા લાક્ષાગ્રહ બનાવ્યો તો પણ પાંડવોતો ભાઇ ની લાગણી થી ત્યાં ગયા,પછી એ અફવા ઉડી કે મરી ગયા એ ભૂલ થઈ, 

 *મહાભારત મેદાન માં,જયદ્રથ ને કે જા,*
પણ
*આવી જ કૈક અફવા,માધવ રમાડે મિતભા(૫)*

જયદ્રથ ને મારવા સાટુ પણ કૃષ્ણ એ રચેલ લીલા ને અફવાનું રૂપ કહી શકાય કે એમ લાગ્યું જાણે સૂર્ય અસ્ત થઈ ગયો અને કીધું કે જા જયદ્રથ જા બચી ગયો તું,પણ ત્યાં જ પલકભર  મા પાછો સૂરજ દેખાણો ને જયદ્રથ નો વધ થયો

 *અશ્વતથામા અંતથી,ઘટમા થઇ ગયો ઘા,*
માટે
*આવી જ કૈક અફવા,મુકાવે શસ્ત્રો મિતભા(૬)*


યુદ્ધમેદાન મા જ્યારે અશ્વસ્થામાં મૃત્યુ પામ્યો છે એ સમાચાર મળતા દ્રોણ તો ન માન્યા,પણ યુધિષ્ઠિર ને પૂછવા ગયા,કેમ કે અસત્ય  એમના મુખ થી ન નીકળે,જેથી મૃત્યુ અશ્વસ્થામા નામક હાથી નું થયું તું પણ આ અફવા ને કારણ જ મહાન ગુરુયોદ્ધા દ્રોણ મૃત્યુ પામ્યા,


*પૈસા ખાતર  પ્રાણને,હંબક છાંડેય હા*
માટે
*આવી જ કૈક અફવા,મુલ્ય ન જાણે મિતભા(૭)*


આજ કેવો જમાનો છે મૃત્યુ ની અફવાઓ કાઢી ને પણ લોકો પૈસા કમાય છે,પોતાના પ્રાણ ને પણ દાવ લગાડી દે વાહ આ અફવાઓ થી જ લોકો ના મન,જીવન,અને હૃદય બગડે




*🙏---કવિ મિત---🙏*
9558336512

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT