.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

13 मई 2020

ભરતને અયોધ્યા શૂન્ય ભાસે



ભરતને અયોધ્યા શૂન્ય ભાસે.

       દોહો
       આવ્યા  અવધ  અશ્વ  પરે,  તરણી  વંશ તરત,
       વચન સાંભળ્યા વન ગયા, ભુલ્યા ભાન ભરત.
છંદ : ઝુલણા ॥
અયોધ્યા આવતાં ભરત જ્યાં આંગણે,
સ્વર્ગમાં   તાત  દશરથ   સિધાવ્યા,
ભરત કે  રામને  ભલામણ કરી નઈ,
અમોને તાત સોંપ્યા વીના સીધાવ્યા,
વિકળ થઈ તાત હે તાત વદતા હતા,
થરથરે    દેહ     વ્યાકુળ     થાતા,
માત મુજ તાત ના મરણની વાત કો,
ભરતજી  એમ  કે    કોચવતા.   (1)
     
સીય લખમણ અને રામ વનમાં ગયા,
કૈકેઈ      મુખથી    વાત       કીધી,
ભનક   કાને પડી વન  તણી  ભરતને,
લુંટારે      સમરધી    લુંટી      લીધી,
તાતના    મરણને   ભરત ભુલી ગયા,
વીરહની      વેદનાં         વરણી,
રામનો   વિરોધી હું   કારણ  બન્યો,
આવી કુટીલ માતા સુજી કેમ કરણી.(2)
માત    વરદાનને    માગતાં   મુખથી,
તારે    પંડમાં   થઈ   નહિ  કેમ  પીડા,
અંગ  અપંગ  થઈ ના  આતમા ઉડીયો,
કારમા    જીભમાં  પડ્યા    કેમ કીડા,
વધુ  હું  શું  વદુ  માત   જનની  બની,
દયાળુ       રામનો     હું      દાસે,
નાથ     રઘુનાથને નૈન નિરખ્યા વિના,
           ભરતને     અયોધ્યા શુન્ય ભાસે.    (3)
ગહન વન હાલીને ભરત વનમાં ગયા,
પંથમાં        ગ્રહનો    સાથ   કરીયો,
પ્રભુને    ભેટવા   અયોધ્યા  પ્રજાજન,
દેખતાં      માનવી    તણો    દરીયો,
પ્રજાના    સાથમાં  ભરત  પંથે પડ્યા,
બાળ  વ્રુધ્ધ  યુવાનો  ના  કોઈ  બાકી,
નૈનથી  ચાલતાં   ભરતજી  નીરખતા,
ત્રિભોવન   તણાં સુચરણ તાકી.   (4)

ગોતવા રામને કર્યો ત્યાગ ગાદી તણો,
પ્રેમથી    ચાલીયા    ભરત    પાળા,
રામને    બતાવો    રામને   બતાવો,
એમ    સંત   ઉન્માદથી   કરે  ચાળા,
ચાલતાં    વાગતાં  વિકટ  વનરાઈમાં,
કાંકરા      સુકોમળ     પગે     કાંટા,
થોભતા    થંભતા  રજકણો  નિરખતા,
રામ વિરામના  વ્રુક્ષને ફરે આંટા   (5)
ભેટતાં    રામને    ભરતજી   ભાવથી,
ભુલીયા     ભાનને      બેઈ    ભૈયા,
ભાવ  ભક્તિ  અને   ભાઈના  ભાવથી,
હરખ      જળ   ઉછળે   નૈન   હૈયા,
ભાઈ  જો  હોય  તો ભરત જેવા ભલા,
વિમળ    વર   વિરના  કોણ  વડીયા,
સંસ્ક્રુતિ   આર્યની  અખંડ   શોભતી,
ભરતને    “મેકરણ”  રણ  પડીયા. (6)
============
                 કર્તા : ચારણ કવિ શ્રી.મેકરણભાઈ ગગુભાઈ લીલા,
                 ગામ : સનાળી, તાલુકો : કુંકાવાવ, જી : અમરેલી.


                      

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT