.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

30 नवंबर 2019

कहो वीर चारणो केवा रचना जोगीदान चडीया

.       *कहो भड़ चारणो केवा*
.      *रचना: जोगीदान चडीया*
.     *ढाळ: सुना समदर नी पाळे*

.                 *दोहो*
*कलमु किरपांणुं ग्रही, पकड्यो चारण पंथ*
*जोधो अणनम जोगडा, कंकणवाळी नो कंथ*

.                  *गीत*
कहो भड़ चारणो केवा रे ,जोधा जमरांण ना जेवा...
भुले नइ आ भोमका जेने ई भड़ युगो युग याद रे एवा रे...
लळी लळी वारणां लेवा....टेक

पड्यां होय माथडां भोंये रे, तरवारुं ई झीकता तोंये...
झारा ना ई जुद्ध मां होम्यां हाड कहो ई विर ते केवा रे...
लळी लळी वारणां लेवा....01

केवो ओल्यो खीलजी कामी रे, हमीर नो कोय नई हामी
बारुजी उपड्यो चारण देव रांणा ने राज ई देवा रे
कहो वीर चारणो केवा रे,..02

फरता दुशमन र्या फाटी, मुछ्ये भड़ ताव दे माटी
उभो आंबरडी टींबे ई, काळ विहळ नी वातडी केवा रे...
लळी लळी वारणां लेवा....03

नोता एना राज झोंटांणा रे, नोता कोय वेर वेंटांणा...
अंगरेजो थी आटक्या तोये ई केहरी ने परतापसिं केवा रे...
लळी एनां वारणा लेवा...04

नतो भड़ डाढ समाया रे,जोधा जगदंब ना जाया, 
निती ध्रम कारणे जोगी दान होमाया ना होय जो हेवा रे...लळी एना वारणां लेवा...05

🙏🏻🖋🔱⚔📿⚔🔱🖋🙏🏻

(दोहा मां मात्रा वधे छे पण उलट थी आव्यो छे एटले फेर बदल नथी करतो..

गीत ना प्रथम अंतरा मां झारा ना युद्ध मां सहिद थयेल चारणो ने श्रद्धा सुमन छे..

बीजा अंतरा मां ज्यारे रांणो हमिर निराश थई मृत्यु ना खोळे पोढवा जाय छे त्यारे वच्चे वरवडी मांये तेमनो कोढ मटाडी बारुजी ने पांचसो घोडे तेमनी सहायता करवा मोकलेल जे समये तेममे पोतानो पडछांयो साथ नोहतो देतो ते समये चारण व्हारे चड्यो,ऐ चारणे जतन करेल वंश वेली मां पछी भारत ने रांणा प्रताप मळ्या 

त्रिजा अंतरा मां आंबरडी विहळ राबो अने मित्रो के जेमणे मस्तक न नमाव्या अने कुंडाळे मरण नी प्रतिज्ञा निभावी ई विहळ, धानरव, साजण, नागाजण, रविया, लखमण, तेजरव, खीमरव, आलग, पाल, वेरसल चारणो अने केशवगर ने वंदना

चोथा अंतरा मा जेना कोय राज नोता पडावी लेवाया के नोता बाप दादा ना वेर छतां मां भारती पर गुलामी नी बेडीयुं जोई जे परिवार स्वतंत्रता नी लडत मां सहीदी वोरवा तैयार थयेल ते केसरिसिंहजी अने कुंवर प्रतापसिंहजी ने याद करी वंदन 

छेल्ला अंतरा मां ए तमाम चारणो ने वंदन के जे सत्य अने निति धर्म ने मार्गे होमावा तत्पर छे,जे कोय नी डाढ मां नथी समाया अने जे सभान छे के अमे जगदंबा ना दिकरा छीये ए तमाम ने वंदन...)
🙏🏻🖋🔱⚔📿⚔🔱🖋🙏🏻

UDHYOG MITRA CONSULTANCY SERVICES BHUJ

UDHYOG MITRA CONSULTANCY SERVICES BHUJ

Yogeshbhai Gadhavi, bhuj 
Mo. 97279 57360

26 नवंबर 2019

આઈશ્રી સોનબાઈ માં વિશે

આઈશ્રી  સોનબાઈ માં વિશે  


આપણો દેશ એ ધાર્મિક તથા આધ્યાત્મકથી ભરપૂર છે. સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાળશાહ, સતાધારમાં આપાગીગા, બગદાણામાં બાપાસિતારામ, ભગુડામાં માં મોગલ અને મોણીયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો-જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમ ધામના…આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મઢડા ખાતે આવેલ આઈ સોનલધામ….હાલ આ લેખ માં સોનલ માં વિશે વધુ માહિતી મેળવીશું…….


સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી હમીરભાઇ મોડને ઘરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનબાઇનો જન્મ થયો. પુજ્ય આઇમાં એ જન્મ ધારણ કરીને પોતાના તુંબેલ કુળને, મોડવંશને, ચારણ જાતીને તેમજ સમાજના સર્વે વર્ગો જાતીને પવિત્ર કર્યા અને ઉજ્જવળતા શુધ્ધતા આપી. એમના જન્મથી આઇ રાણબાઇ પણ ધન્ય બન્યા તથા આઇમા શ્રી સોનબાઇની જન્મદાત્રી માતાનું મહાન યશસ્વી પદ પામ્યા.

મઢડાવાળી સોનલ માતાજી…. જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર આવેલ છે મઢડા ગામ… આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે… 653 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય. ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે.

મંદિરમાં બિરાજીત આઈ સોનલ માં ની દયામયી મૂર્તિના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસતું પરમધામ છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો હતો છતાં તેમણે સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયા ભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપાર શ્રધ્ધા ધરાવે છે.  અને માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી.

મઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હરી હરનો સાદ પડે છે. એટલે કે સદાવ્રત ચલાવાય છે. કોઈ પણ  ભુખ્યું જતું નથી અને કોઈને સંસારનું કોઈ દુખ રહેતું નથી. સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે. ભક્તો આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે. માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે.

પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પુરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મ દિવસને લોકો “સોનલ બીજ” તરીકે ઉજવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઈંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મ દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે. આવા તો માતાજીના અનેક ભક્તો છે. તે તન-મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક માં સમક્ષ ઝૂકાવે છે. માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે.

કોણ હતા શ્રી સોનલ માતા..? કેવી રીતે ઓળખાયા મઢડાવાળી માતાના નામે ? અને શું છે ચારણોની શક્તિપીઠ કહેવાતા આઈ શ્રી સોનલ ધામનો મહિમા ?
ધર્મગ્રંથોમાં ચારણોની દિવ્યતા મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે અને ચારણો એ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે. ચારણોની દેશભક્તિ કર્તવ્ય પરાયણતા સંસ્કૃતિની રક્ષા સાહિત્ય સેવા વીરતા નિતિમતા અને ક્ષત્રિયોને દેશભક્તિના પાઠ ભણાવવાની તેમની સેવાની પ્રશંસા આજે સૌ કોઈ કરે છે. ત્યારે આઈ શ્રી સોનલ માતાજીએ પણ વિવિધ સમાજના લોકોને અનેક પરચાઓ પણ આપ્યા. ભક્તોના દરેક કાર્યો માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોવાથી ભક્તો પણ આઈ શ્રી સોનલ માતાજીને માનતા હતા.. માં ભગવતીનો જ અવતાર…ખીમરવંતી પ્રજા.. જેના સ્વરો અને છંદોથી આપણી સંસ્કૃતિને મળી છે નવી ઓળખ.. તેમજ આઈ શ્રી સોનલ માતાજીનો અપરંપાર મહિમા તો આપે જાણ્યો.

આઈ શ્રી સોનલ માતાજીએ કોને કોને આપ્યા પરચાઓ?
આઈ શ્રી સોનલ માતાજીએ પોતાના જીવનકાળમાં માત્રને માત્ર પુરૂષાર્થ… જીવનમાં સત્ય પવિત્રતતા સાદાઈ અને સાત્વિકતા અગ્રસ્થાને રાખી. ચારણ સમાજને એક કરવાનું અને વ્યસનમુક્ત કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું. તેમજ શિક્ષણ ની જયોત પ્રગટાવવા ચારણોના ગામે ગામે પ્રવાસ કરેલ. તથા ચારણના વિધાર્થીઓ માટે છાત્રાલય શરૂ કરાવેલ. ચારણ સમાજ પણ આવી દિવ્ય આત્માને ધ્યાનથી સાંભળતા. પોતાના જીવનમાં આઈ શ્રી સોનલ માતાજીના પ્રવચનોને અને વ્યાખ્યાનોને ઉંડા ઉતારતા. આઈ શ્રી સોનલ માતાજીએ વિવિધ સમાજના લોકોને પરચાઓ આપ્યા છે. જે ભક્તોએ જ્યારે સાચા મનથી માતાજીને સાદ કર્યો છે ત્યારે અવશ્ય માતાજીએ પરચા પૂરીને ભક્તોના દુઃખ દૂર કર્યા છે.

શું છે સોનલ ધામનો ઈતિહાસ ? કોણ હતા આઈ શ્રી સોનલ માતાજી ?
મહાભારત વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દૈવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેકશઃ વર્ણનો જોવા મળે છે. 

એવું કહેવાય છે કે જે ચારણ… સાચા અને શુદ્ધ ચારણ છે. તે ક્યારેય ખોટું બોલતા નથી. સાહિત્યમાં અને લોકડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ પણ છીએ. ખરેખર.. ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે. જેમાં તે પવિત્રતા, શુદ્ધતા,સ્વમાનતા, ખુમારી ,નિડરતા અને વીરતાના પ્રતીક સમાન ગણાય છે.

ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, આઝાદીકાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ શ્રી સોનલ માતાજીની વિચારધારાથી પ્રભાવિત થયા હતા. આઈ શ્રી સોનલ માતાજી સાથે વિચાર-વિમર્શ પણ કરેલો. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાગ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા.
જે કોઈપણ ભક્ત ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના આ ધામમાં દર્શનાર્થે પધારે છે તે બીજી વખત અચૂકપણે અહીંયા સહપરિવાર દર્શનાર્થે ચોક્કસથી આવે જ છે.

શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો.. ભલ ભલાને આંજી દે
આજે આઈ શ્રી સોનલ એટલા માટે પૂજાય રહ્યા છે કે નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા હતા. જીવનમાં ક્યારેય તેઓ શાળાએ ગયા હતા નહી. પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય. આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા. દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા જેવા પવિત્ર સ્થળોએ પણ સંતસંગ કર્યા. એક ચારણ હોવાથી માતાજી ચારણી સાહિત્યના પ્રખર જ્ઞાતા પણ હતા. શ્રી સોનલ માતાજી.. માં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતા પણ અન્ય દેવી-દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા. ખરેખર… શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો.. ભલ ભલાને આંજી દે તેવું હતું. 
શ્રી સોનલ માં કેવી રીતે ગયા ધામ માં…..
કેહવાય છે કે આલોકમાં જેની જરૂર હોય એની પરમાત્માને પરમલોક માંય જરૂર હોય છે. સ્વર્ગમાં સતીત્વ અને શક્તિત્વની ખોટ પડી હશે અને પરમાત્માને એનુ સુરપુર જગદંબાના આત્મતત્વથી ઉજળુ બનાવવું પડશે એથી ઇશ્વરે જગત માથે વિચરતા આઇ તત્વને પોતાની પાસે બોલાવી લેવાનાં અણસાર આવવા માંડ્યા. સ્વયં પ્રગટેલી પરાશક્તિની અંશ પરમજ્યોત એ પરામ્બાંમા સમાઇ જવાના પ્રમાણો આપવા માંડી. રામ અને કુષ્ણએ પણ માનવ સહજ નિવાર્ણ સ્વીકાર્યુ હતું.એમ જગત આખાના દુઃખને પળવારમાં દાબી શકે એવી પરાશક્તિ અંબાના ધારક આઇશ્રી સોનલમાંએ પણ મહાનિર્વાણ માટે પોતાનાં પંડમા માંદગીને મુંગો આવકાર આપ્યો. હાલતા-ચાલતા, હસતા-બોલતા અને વાતો કરતા આઇમાએ માંદગીને કળવા પણ ન દીધી. માંદગી આઇમાના મહાવિરામનું નિમીત બનીને આવી. સં ૨૦૩૧ અને કારતક સુદ-૧૩ તા.૨૭/૧૧/૭૪ બુધવારનો સુરજ ચારણ સમાજ અને જગત આખા માટે કાળો મેશ અંધાર લઇને ઉગ્યો. આ કારમાં દિવસે આઇમાએ જીવનલીલા સહજરીતે સંકેલી લીધી અને આઇમાં એ અવિનાશી આદિશક્તિ અંબામાં અંતરધ્યાન થઇ ગયા. આઇ તત્વ મહાશક્તિમાં વિલીન થઇ ગયુ. જય માતાજી.

આઈશ્રી સોનબાઈ માંના અપ્રાપ્ય ફોટોગ્રાફ


























25 नवंबर 2019

ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ માટે ફ્રી સેમિનાર

ચાલો ચારણો સાચી સોનલબીજ ઉજવીએ, માં સોનબાઈના વચનો પાળીએ અને સાચી સોનલબીજ ઉજવીએ

આ સોનલબીજથી આવતી સોનલબીજ સુધી વધારેમાં વધારે ચારણોને કોઈને કોઈ નોકરી-ધંધો સેટ કરવામાં મદદ કરીએ


CGIF(ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન)

ના માર્ગદર્શન અને પ્રેરણાથી ચારણ-ગઢવી સમાજના દિકરા અને દિકરીઓ માટે 3 દિવસ તારીખ 20, 21અને 22 ડિસેમ્બર 2019ના રોજ ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે

જેમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ 3 ની તમામ પરીક્ષાઓ વિશેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન તથા દરેક વિષયને યાદ રાખવાની અને તૈયાર કરવાની રીત શીખવાડવામાં આવશે.


આ સમગ્ર કાર્ય angel academy raysan (આઈ શ્રી સોનલ શિક્ષણ કેન્દ્ર)https://maps.app.goo.gl/S3XPSZCK5vmPCrya7) ગાંધીનગર ખાતે રાખેલ છે.


૩ દિવસીય સેમિનારમાં 'સમ્રાટ' સામત ગઢવી દ્વારા માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવશે.


બહારથી આવનાર તમામ જરૂરિયાત વાળા ભાઈઓ અને બહેનોની રહેવા -જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.


અત્યારે સમગ્ર ગુજરાત માંથી પહેલા 300 દિકરા-દિકરીઓને લેવામાં આવશે


સેમિનારમાં ભાગ લેવા માટે આપ વહેલા તે પહેલાના ધોરણે આપ નીચે આપેલા નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો.


નિયમ 1) ધોરણ 12 પાસ હોવા જોઈએ.

નિયમ 2) કોઈ સરકારી નોકરી લેવાની ઈચ્છા કે ઈરાદો હોવો જોઈએ.
નિયમ 3)પોતાનું સ્વપ્ન પૂરું કરવા રોજ 8 થી 10 કલાક જમીન પર બેસી મહેનત કરી શકતા હોવા જોઈએ.
નિયમ 4) 3 દિવસ કોઈ પણ વ્યસન ન હોવું જોઈએ(સોનબાઇ માઁ ને માનતા હોઈએ તો માનું વચન પાળશું વ્યસનથી દૂર રહેશું.

રજિસ્ટ્રેશન માટે માર્કશીટ પ્રમાણે તમારૂં આખુંનામ, મોબાઈલ નંબર, પિતાનો મોબાઇલ નંબર અને શહેરનું નામ લખી whatsapp મા નીચેના નંબર પર મોકલો.

7405872872
વધારે માહિતી માટે નીચેના નંબર પર ફોન કરી શકો.
9512535225

ગુજરાતના કલાસ 1-2અધિકારી ચારણો પણ આપણને રોજ માર્ગદર્શન અને સલાહ આપશે


22 ડિસેમ્બર ના રોજ ચારણગાથા:2 ની ફાઇનલ બધા ભાઈઓ સાથે મળી માણશુ અને આપણા ભાઈ-બહેનને પ્રોત્સાહન આપીશું તથા આપણા વારસાને ગૌરવિંત કરીશું.


બીજા તમામ ચારણો શુધી આ મેસેજ પહોંચાડવાની જવાબદારી આપણી સૌની છે


Angel Academy 'સમ્રાટ' સામત ગઢવીની દુનિયા ગાંધીનગર દ્વારા  આવાનારી પરીક્ષા માટેના 

વિડિઓ જોવા નીચેની લિંક પર ક્લિક કરો.
https://www.youtube.com/channel/UCuOnPfFW4G7UD0vtW5v6fPw

👉👉👉નવા વિડીઓની માહિતી માટે ચેનલ subscribe કરી બાજુમાં બેલ બટન દબાવજો.


મટિરિયલની pdf માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://www.angelacademy.co.in/?m=1

રોજ નવીનવી માહિતી માટે અને મટિરિયલ માટે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવા નીચેની લિંક પર ક્લિક કરો.

Angel academy Gandhinagar.
https://t.me/joinchat/AAAAAEqYgQTH9ngIuNtyXw
https://t.me/angelacademygandhinagar
અથવા ટેલિગ્રામમાં સર્ચ કરો @angelacademygandhinagar

આપના મિત્રો અને પરિવારના તમામ સભ્યો સુધી પહોંચાડવા વિનંતી.


Angel academy,

વિનાયક રિવર સાઈડ,
ગુડા હોલની બાજુમાં,
રાયસણ,
ગાંધીનગર
7405872872

24 नवंबर 2019

ચારણ સમાજનું ગૌરવ સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ

ચારણ સમાજનું ગૌરવ સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ

તીર્થરાજ કિશોરભાઇ ગઢવી ને એરફોર્સ સ્કૂલ ભુજમાં સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ મળેલ છે. 

મુળ ધુણઈ તા. માંડવી કચ્છના વતની અને હાલે ભુજ રહેતા શ્રી કિશોરદાનભાઈ જયંતીદાનભાઈ ગઢવીના પુત્ર તીર્થરાજ ને ગોલ્ડ મેડલ મળવા બદલ ખુબ ખુબ અભિનંદન



પિતાની ચીવટ અને એકાગ્રતા ઘણું શીખવી ગઈ કચ્છમિત્રમાં શ્રી વી.એસ.ગઢવી સાહેબ અંગે નિખીલ પંડયાનું લેખ

પિતાની ચીવટ અને એકાગ્રતા ઘણું શીખવી ગઈ કચ્છમિત્રમાં શ્રી વી.એસ.ગઢવી સાહેબ અંગે નિખીલ પંડયાનું લેખ

23 नवंबर 2019

Swapnakesha

Swapnajesha




ચારણ(ગઢવી) સમાજ ના સમૂહ લગ્ન-રાજકોટ

રાજકોટ ખાતે આગામી યોજાતા  28 માં ચારણ(ગઢવી) સમાજ ના  સમૂહ લગ્ન નોંધણી માટે જરૂરી પુરાવાઓ:-

1. વર-કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો સરકાર માન્ય દાખલો

2. વર કન્યા ના 4-4 ફોટોગ્રાફ

3. વર-કન્યાના આધાર કાર્ડ ઓરીજનલ (અસલ)

4. વર પક્ષે સમૂહ લગ્નની નોંધણી ફી પેટે રૂપિયા 7000 પુરા (સાત હજાર પુરા)આપવાના રહેશે તથા કન્યા પક્ષે ફી પેટે કોઈ રકમ આપવાની રહેશે નહીં


ફોર્મ વિતરણ ની તથા ફોર્મ પરત આપવાની તારીખ :
1-12-2019 થી 8-12-2019 અને સમય સવારે ૯ થી ૧ અને સાંજે 4 થી 8 રહેશે.

ઓફીસ નું સ્થળ :
શ્રી સોનલ સ્ટોર્સ
ગાયત્રીનગર 10 નો ખૂણો,
ડો.કાલરીયા ની સામે,
ગાયત્રી નગર મેઈન રોડ,રાજકોટ


21 नवंबर 2019

कच्छ चारण समाज जोग संदेश


कच्छ चारण समाज जोग संदेश  

श्री अखिल कच्छ चारण सभा मांडवी-कच्छ

आईश्री सोनल बीज उत्सव चेरीटेबल ट्रस्ट मांडवी कच्छ

प्रातः स्मरणीय प.पू. आईश्री सोनल मांनो 97 मो जन्मोत्सव आगामी 28-12-2019ना रोज मांडवी कच्छ खाते उजवाशे.जेमां नीचे मुजब शिष्यवृति आपवामां आवशे.

श्री निरंजनबापु ऐज्यूकेशन चेरीटेबल ट्रस्ट तरफथी शिष्यवृति
शहिद वीर माणशी गढवीनी स्मृतिमां S.S.C मां प्रथम आवनारने शिल्ड - अखिल कच्छ चारण सभा तरफ थी
श्री कैलाशदान करणीदान गढवी तरफथी रनींग शिल्ड तमाम विधार्थीओने

शिष्यवृति मेळववा माटे लायकात
-------------------------------------
S.S.C मां 70 %
H.S.C (विज्ञान अने सामान्य प्रवाह) मां 70%
कोलेज/मास्टर डीर्गी/अन्य कोर्ष मां वर्षना अंतिम सेमेस्टरमां- 70 %
आई.टी.आई, BCA, BBA, MCA,  डिप्लोमां, डीर्गी, ऐजीनीरींग वगेरे मां 70 %

आ उपरांत विशिष्ट प्रतिभा तथा रमत-गमतमां जोन कक्षाऐ, राज्य कक्षाऐ प्रथम, बीजु के तृतीय नंबर मेळवनार तथा नेशनल कक्षाना विधार्थीओ अरजी करवी.

विशेष सन्मान :- कच्छ जिल्लामां फरज बजवता चारण-गढवी समाजना रेवन्यू तलाटीश्रीओ तथा तलाटी सह मंत्रीश्रीओनुं सन्मान करवामां आवशे. 

➡ ऊपर मुजब लायकात धरावता विधार्थीओ ऐ नीचेना सरनामे रुबरू अथवा टपाल द्रारा मोकली आपवुं.

(1) नाम सरनामा साथेनी सादी अरजी
(2) परीणामनी प्रमाणित नक़ल 
(3) बोनोफाईट सर्टीफिकेटनी नक़ल

ख़ास नोंध ::- स्व प्रमाणीत नकल चालशे नही अने वर्षनूं अंतिम सेमेस्टर ध्यानमां लेवामां आवशे.

अरजी मोकलवानी छेल्ली तारीख :- 20/12/2019

सरनामुं
श्री लक्ष्मण राग चारण बोर्डिंग लायजा रोड मांडवी कच्छ
पीन कोड 370465
02834223698

शिष्यवृतिनी वधारे माहिती माटे संपर्क:-
नागाजणभाई - 9879444802

ली.
श्री विजयभाई करशनभाई गढवी - प्रमुखश्री अखिल कच्छ चारण सभा
श्री ईश्वरभाई अरजणभाई गढवी - प्रमुखश्री सोनलबीज उत्सव समिति,मांडवी कच्छ.

(1) धनराजभाई पुनशीभाई गढवी (मोटा करोडीया) -उपप्रमुखश्री, सोनलबीज उत्सव समिति,मांडवी कच्छ
(2) धनाभा पचाणभा गढवी (मांडवी)- सभ्य सोनलबीज उत्सव समिति,मांडवी कच्छ
(3) धनराजभाई करमणभाई गढवी (भाडा)- उपप्रमुखश्री, सोनलबीज उत्सव समिति,मांडवी कच्छ
(4) आनंदभाई हरिदानभाई गढवी (भुज)- सभ्य सोनलबीज उत्सव समिति,मांडवी कच्छ

         
    वंदे सोनल मातरम्

क्रांतिकारी केसरीसिंह बारहट्ट (चारण)

क्रांतिकारी केसरीसिंह बारहट्ट (चारण)


केसरी सिंह बारहठ (२१ नवम्बर १८७२ – १४ अगस्त १९४१) एक कवि और स्वतंत्रता सैनानी थे। वो भारतीय राज्य राजस्थान की चारण जाति के थे। उनके पुत्र प्रतापसिंह बारहठ भी भारतीय क्रान्तिकारी थे।

जन्म

उनका जन्म २१ नवम्बर १८७२ को शाहपुरा रियासत के देवपुरा नामक गाँव में हुआ। उनके पिता का नाम कृष्ण सिंह बारहठ था[3] और उनकी माता बख्तावर कँवर का निधन उनके बाल्यकाल में ही हो गया था। दैव-योग से मातृ-विहीन शिशु की दादी माता श्रृँगार कँवर के स्तनों में ग्यारह वर्ष बाद सहसा दूध का संचारन होने से उन्हीं के द्वारा पालन-पोषण किया गया। ऐसे ममत्व-भरे प्रबुद्ध आँचल के शाये में पलने वाले शैशव में सद्-संस्कारों का उन्नयन स्वभाविक ही हो गया।


शि़क्षा


छः वर्ष की आयु में केसरी सिंह की शिक्षा शाहपुर में महन्त सीताराम की देख-रेख में प्रारम्भ हुई। दो साल बाद कृष्ण सिंह ने उदयपुर में काशी से एक विद्वान पंडित गोपीनाथ शास्त्री को बुलाकर केसरी सिंह की औपचारिक शिक्षा-दीक्षा संस्कृत परिपाटी में आरंभ करायी। उस समय के उत्कृष्ट बौद्धिक माप-दण्ड के अनुसार केसरी सिंह ने पूरा 'अमर-कोश' कण्ठष्थ कर लिया था। केसरी सिंह ने संस्कृत एवं हिन्दी के अतिरिक्त अन्य भारतीय भाषाओं बंगला, मराठी एवं गुजराती का भी पर्याप्त अध्ययन किया। ज्योतिष, गणित एवं खगोल शास्त्र में भी उनकी अच्छी गति थी

बंदी जीवन 
ठाकुर केसरी सिंह का देश के शीर्ष क्रांतिकारियों- रासबिहारी बोस, मास्टर अमीरचन्द, लाला हरदयाल, श्यामजी कृष्ण वर्मा, अर्जुनलाल सेठी, राव गोपाल सिंह, खरवा आदि के साथ घनिष्ठ सम्बन्ध था। सन् 1912 में राजपूताना में ब्रिटिश सी.आई.डी.द्वारा जिन व्यक्तियों की निगरानी रखी जानी थी उनमें केसरी सिंह का नाम राष्ट्रीय-अभिलेखागार की सूची में सबसे ऊपर था। केसरी सिंह को शाहपुरा में ब्रिटिश सरकार द्वारा दिल्ली-लाहौर षड्यन्त्र केस में राजद्रोह, षड्यन्त्र व कत्ल आदि के जुर्म लगा कर 21 मार्च 1914 को गिरफ्तार किया गया। जिस दिन केसरी सिंह को गिरफ्तार किया गया उसी दिन से उन्होंने अन्न-त्याग दिया। उन्हें भय था कि गुप्त बातें उगलवाने के लिए पुलिस कोई ऐसी चीज न खिला दे जिससे उनका मस्तिष्क विकृत हो जाय। इस प्रण को उन्होंने पाँच वर्ष तक जेल-जीवन में निभाया। उन्हें कई-कई दिन, रात-रात भर सोने नहीं दिया जाता था। सरकार किसी प्रकार केसर सिंह के विरुद्ध राजनीतिक उद्धेश्य से की गयी हत्या का जुर्म साबित कर उन्हें फाँसी देना चाहती थी। अन्त में केसरी सिंह को 20 साल के आजीवन कारावास की कठोर सजा हुई। इस प्रकार केसरी सिंह को केवल २० वर्ष का आजन्म कारावास ही नहीं हुआ, उसके समूचे परिवार पर विपत्ती की दुहरी मार पड़ी। शाहपुरा राजाधिराज नाहर सिंह ने ब्रिटिश सरकार को खुश रखने के लिए उनकी पेतृक जागीर का गांव, विशाल हवेली एवं चल-अचल सम्पत्ति भी जब्त कर ली। घर के बर्तन तक नीलाम कर दिये गये। सारा परिवार बेघर - बार होकर कण-कण की तरह बिखर गया।

अंतिम प्रयाण 

सन् 1941 के अगस्त के प्रारम्भ में केसरी सिंह जी ज्वराक्रांत हुये। कोटा राज्य के पी.एम.ओ डॉ विद्याशंकर की देखरख में उनका इलाज हो रहा था डॉ अब्दुल वहीद उनके पारिवारिक डॉक्टर थे। ९ अगस्त को कवीन्द्र रवीन्द्र नाथ ठाकुर के देहावसान का रेडियो में समाचार सुनने के बाद जब डॉक्टर अब्दुल वहीद उन्हें देखने आये तो कहा "ठाकुर साहब, आज एक बहुत रंज का समाचार लाया हूँ- रवीन्द्र नाथ ठाकुर नहीं रहे।" यह सुनकर सहज ही उनके मुँह से निकल पड़ा- अब कवी दरबार ऊपर ही लगेगा और पाँच दिन बाद सचमुच ही वह समय आ गया। अंतिम बीमारी में वे केवल अपनी बड़ी पौत्री राजलक्ष्मी के हाथ से ही दवा या पानी लेते थे। राजलक्ष्मी के उस समय के संस्मरण इस प्रकार हैं - "बीमारी के अंतीम सात दिनों में दाता निरंतर गीता और उपनिषदों के श्लोक ही बोला करते थे। किसी से भी वार्तालाप नहीं करते थे। उस दिन 14 अगस्त को साढे ग्यारह बजे हमने वैद्य चंद्रशेखर जी के कहने से कमरे के खिड़की दरवाजे बंद कर परदे लगा दिये थे। बाहर वर्षा हो रही थी । कमरे को इस प्रकार बंद देखकर उन्होंने मुझे कहा - खिड़की दरवाजे बंद क्यों किये हैं? इन्हे खोल दो। क्या तुम सोचते हो कि केसरी सिंह को जाने से यह रोक सकेंगे? फिर अपने पलंग के सामने दीवार पर टंगे हुये उनके पिताश्री की फोटो की और इशारा कर उसे लाने को कहा। मैंने चित्र उतार कर उन्हे दिया। कुछ देर तक वे टक टकी लगाकर चित्र को देखते रहे, उसे आँखों और सर पर लगाया उसके बाद यह प्राचीन दौहा उनकी वाणी से निकल पड़ा


कहाँ जाये कहाँ ऊपने, कहाँ लड़ाये लाड।
का जाने केहि खाड में, जाय पड़ेंगे हाड॥




शहीद प्रतापसिंह बारहट्ट (चारण)



उनका जन्म राजस्थान के उदयपुर में हुआ थे। वे केसरी सिंह बारहठ के पुत्र थे। प्रारंभिक शिक्षा कोटाअजमेर और जयपुर में हुई। क्रांतिकारी मास्टर अमीरचंद से प्रेरणा लेकर देश को स्वतंत्र करवाने में जुट गए।


वे रासबिहारी बोस का अनुसरण करते हुए क्रांतिकारी आन्दोलन में सम्मिलित हुए। रास सिंह बिहारी बोस का प्रताप पर बहुत विश्वास था। ३ दिसम्बर १९१२ को लॉर्ड हर्डिंग्स पर बम फेंकने की योजना में वे भी सम्मिलित थे। उन्हें बनारस काण्ड के सन्दर्भ में गिरफ्तार किया गया और सन् १९१६ में ५ वर्ष के सश्रम कारावास की सजा हुई। बरेली के केंद्रीय कारागार में उन्हें अमानवीय यातनाएँ दी गयीं ताकि अपने सहयोगियों का नाम उनसे पता किया जा सके किन्तु उन्होने किसी का नाम नहीं लिया। ७ मई १९१८ को जेल में ही उनकी मृत्यु हो गई। बरेली जेल में चार्ल्स क्लीवलैंड ने इन्हें घोर यातनाएं दी ओर कहा - "तुम्हारी माँ रोती है " तो इस वीर ने जबाब दिया - " में अपनी माँ को चुप कराने के लिए हजारों माँओ को नहीं रुला सकता। " और किसी भी साथी का नाम नहीं बताया।

|| सूर्यवंदना || मितेशदान(सिंहढाय्च)

*(11-10-2019)*

*है नारायण हरी,खरी तुज रीत खलकमा,*
*है नारायण हरी,पड़े आदिंत पलकमा,*
*है नारायण हरी,जीवन जग ताप जीवाड़े,*
*है नारायण हरी,नकारा कर्म निवाडे,*
*प्रथमी नित पुजन प्रार्थिये,सहियारा है  सुरनाथ*
*पट निहर प्रौढ़ अवनी परे,मित पर कर हर सुर माथ*

*(12-10-2019)*

*जड़ थड जपिया जाप,आप सब मही अनूपं,*
*त्रिज्ञानी  मन  ताप,थाप दै भर्या ए स्तुपं*
*परगट थई परताप,जगत पावन घट जोड्यु*
*आखर एक जे आप,तिमिर अभिमान ज तोड्यु*
*जे देव कियो नह जगतमें,इ भरियो तेज ते भाण*
*पट निहर प्रौढ़ अवनी परे,प्रोढे पुरिया मित प्राण*


*(13-10-2019)*


*सकळ शुन्यअवकाश,निदर्शत आप निहारो,*
*सकळ शुन्यअवकाश,सजावट शशी सवारो,*
*सकळ शुन्यअवकाश,छता खाली नही छानु,*
*सकळ शुन्यअवकाश,भर्यो परकाश ते भानु,*
*अगणित जगा अंधारपणे,सजीयो सुरज समराट,*
*पट निहर प्रौढ़ अवनी परे,परगट मित बेठो पाट*


*(14-10-2019)*


*वखत वसी वरदाण,सम्यो तुज अंदर सायो,*
*वखत वसी वरदाण,भेद तप मही भरायो*
*वखत वसी वरदाण,दिनवसू आभ न दीठे*
*वखत वसी वरदाण,पाठ नह  पाठत पीठे*
*सुर तेज तणो समराट शूरो,हर वखत सु देव हयात*
*पट निहर प्रौढ़ अवनी परे,प्रगटे मित हरदम प्रात*



*(15-10-2019)*


*भुजा विशाला भाण,एक हथ्थे धर ढांके*
*भुजा विशाला भाण,तिमिर द्वि हथ्थे ताके*
*भुजा विशाला भाण,अमर पद जीवन आपे*
*भुजा विशाला भाण,चतुर हथ्थे दल चापे*
*चौ हस्त दिश चौ काम चले,चौ ताप हरेय चितार*
*पट निहर प्रौढ़ अवनी परे,सुरजण मित साचो सार*


*(16-10-2019)*

*देव उग्यो दिनराज,पीताम्बर वाघा पेहरी*
*देव उग्यो दिनराज,कसुंबल रंग केहरी*
*देव उग्यो दिनराज,अश्व पर चढ़ अलबेलो*
*देव उग्या दिनराज,प्रथम उगतो धर पेहलो*
*प्रगट्या धराय परमारथी,अखिलेश्वर सुरज आप*
*पट निहर  प्रौढ़ अवनी परे,जोता मित जपतो जाप*

*(17-10-2019)*

*अखिल धरानी आस,नाथ नारायण नामी,*
*सर्वेश्वर  हय  श्वास,किरत जगराण तु कामी,*
*भय हरणा भवदेव,त्रिकाली अमर तिमिरहर*
*तेज प्रसारव टेव,धरण नित राख धरोहर*
*वदता तुज नाम वखाणमा,मुजो आतम महेकाय*
*पट निहर प्रौढ़ अवनी परे,गुण मित दर्शन कर गाय*


**18-10-2019)*

*उभय उजागर अंग,रंग पिताम्बर राजा,*
*उभय उजागर अंग,बंग वैराट  बिराजा*
*उभय उजागर अंग,तपे हर तेज तिहारा*
*उभय उजागर अंग,सदा जग बण्या सहारा*
*अभयकरा अवीनाश अरक,आ तपिया जो तुज अंग*
*पट निहर प्रौढ़ अवनी परे,राखण मित मनडे रंग*


*(19-10-2019)*

*तेज ताण तुज ताप,जाप जोवे जगदंबा,*
*तेज तणा तुज ताप,अमरपद अजया अंबा,*
*तेज तणा तुज ताप,भुवन भ्रम भेद भुलावे,*
*तेज तणा तुज ताप,देव दन दल दिपलावे,*
*आ धर परना अंधारने,तु हरीले तारणहार*
*पट निहर प्रौढ़ अवनी परे,अमणो सुर मित आधार*

*(20-10-2019)*


*भाल वसी नुर भाण,जगत नुर तेज जगावे*
*भाल वसी नुर भाण,भुवन हर भ्रम्म भगावे*
*भाल वसी नुर भाण,शक्ति शणगार सजावे*
*भाल वसी नुर भाण,भगती नित मन्न भजावे*
*ब्रह्मांड तणा आ बागमा,फरकावै फोरम फाल*
*पट निहर प्रौढ़ अवनी परे,भव मित सज्यो सुर भाल*

16 नवंबर 2019

ચારણ સમાજનું ગૌરવ રાજ્યપાલશ્રી દ્રારા પર્યાવરણ ચેમ્પિયન એવોર્ડ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હાથે હિરલ ચારણ અને જહાલ ચારણને પર્યાવરણ ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો.

પર્યાવરણ પ્રદુષિત થઈ રહ્યું જેના કારણે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. આ ગંભીર પ્રશ્ન માટે લોકોમાં જાગૃતી લાવવા માટે  શ્રી મહેશભાઈ રૂદાચની એવા હિરલબેન ચારણ (રૂડાચ), જહાલબેન ચારણે "સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનીમલ એન્ડ એન્વારમેન્ટ" સંસ્થાની 2016 માં સ્થાપના કરવામાં આવેલ.


ખુબ ખુબ અભિનંદન





સામતભાઈ ગઢવી 




Sponsored Ads

ADVT

ADVT