.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

28 फ़रवरी 2020

पह्मश्री दुला भाया काग (भगत बापु) नी 43 मी पूण्यतिथी तथा काग ऐवोर्ड-2020

पह्मश्री दुला भाया काग (भगत बापु) नी 43 मी पूण्यतिथी तथा काग ऐवोर्ड-2020

ता.27-02-2020 ना रोज कागधाम(मजादर) खाते पह्मश्री दुला भाया काग (भगत बापु)नी 43 मी पूण्यतिथी मोरारिबापु तेमज आगेवानो तथा बहोळी संख्या साहित्य रसिकोनी उपस्थितिमां उजववामां आवेल.

मजादर गाम जेने भारत सरकारे 2014 मां "कागधाम" नाम आप्यु. कागधाम खाते दर वर्षे काग बापुनी पूण्यतिथीऐ विश्व वंदनीय संत श्री मोरारि बापु द्रारा "काग ऐवोर्ड" आपवामां आवे छे.

आ वर्षे काग ऐवोर्ड मेळवनार

(1) स्व. नारणदानजी सुरु
(2) श्री कवि अनुभाई जामंग (बावळी)
(3) श्री राजभा गढवी (गीर)
(4) श्री रतिलाल नाथालाल दवे
(5) श्री भंवरसिंह सामोर (राजस्थान)

         वंदे सोनल मातरम
फोटो मोकलवा माटे ईशभाई काग (Kag Sahitya) नु खूब खुब आभार 

પૂજ્ય બાપુની પાવન નિશ્રામાં   
"કાગના ફળિયે કાગની વાતું"
---------------------------------------
       પ્રતિવર્ષ પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ નિમિત્તે, કાગધામ- મજાદર- ખાતે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાતા ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત આજે ફાગણ સુદ ચતુર્થીના દિવસે, સાંજે ચાર થી છ દરમિયાન કાગના" ફળિયે કાગની વાતું" કાર્યક્રમ સંપન્ન થયો.
શ્રી બળવંતભાઈ જાનીના સંયોજનમાં  યોજાયેલા આ કાર્યક્રમના બે વક્તાઓ- શ્રી પ્રભુદાન સુરૂ તેમજ શ્રી અરવિંદભાઈ બારોટ- એ પોતાના મનનીય વક્તવ્ય પ્રસ્તુત કર્યા.
આ તકે મોરારીબાપુના વરદ્ હસ્તે શ્રી અરવિંદ બારોટ લિખિત પુસ્તક "
તારા આંગણિયા પૂછીને.." શ્રી વસંત બાપુ હરિયાણી લિખિત પુસ્તક "માળાના મણકા" અને રાજસ્થાની ચારણ કવિ લેખક શ્રી ભવાનીસિંહ સુમેરના પુસ્તક...... નું લોકાર્પણ પણ સંપન્ન થયું.
પોતાના પ્રસન્નતા પૂર્ણ પ્રાસંગિક પ્રવચનમાં પૂજ્ય બાપુએ જણાવ્યું કે - "ઓશો કહેતા કે સ્થાનમાંથી તીર્થંકર જતો રહે છે, અને તીર્થ રહી જાય છે, તેથી તીર્થની તેજસ્વિતા ઘટી જાય છે. પરંતુ મને લાગે છે કે અહીંથી હજી તીર્થંકર ગયો નથી  તેથી આ તીર્થ દર વર્ષે નવું તેજ લઈને પ્રકાશતું રહે છે. અને ફાગણ સુદ ચોથનો કાગ ઉત્સવ અહીં ઉજવાય છે.
પૂજ્ય બાપુએ કહ્યું કે ભારતના કોઈપણ નગર, ગામ કે શહેરમાં રામ મંદિર બને, તો તેમાં સૌથી પહેલી માટી અયોધ્યાની પધરાવવી જોઈએ. એમ કાગ બાપુ વિશે જે કાંઇ લખાય, બોલાય, વંચાય એની અહીં કાગના ફળિયે  જ સૌથી પહેલી પ્રસ્તુતિ  થવી જોઈએ ! કાગના ફળિયે સૌથી પહેલા પગે લાગવા આવવું જોઈએ.... 
બાપુએ કહ્યું કે - "આ ભૂમિમાંથી જ કાગબાપુનો એક બૃહદ્ ગ્રંથ પ્રકાશિત થાય એવી આપણે આશા રાખીએ. કાગબાપુના બધા જ ગ્રંથોનું સંપાદન કરીને, તેને બૃહદ્ રૂપમાં પ્રકાશન કરનાર કાગનું ફળિયું જ હોય, એવો ભાવ બાપુએ વ્યક્ત કર્યો.
પૂજ્ય બાપુએ ત્રણે સર્જકોના પુસ્તકોના આ ભૂમિ ઉપરથી લોકાર્પણ થવા અંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.
       પૂજ્ય બાપુએ ભાદ્રોડના મુખીના ડેલે કાગ બાપુએ જ્યારે પોતાનું સ્વરચિત પદ "તારા આંગણિયા પૂછીને..." ગાયેલું, ત્યારે બાપુએ પોતે "કેવટ પ્રસંગ" વર્ણવ્યો હતો, તેનું મધુર સ્મરણ તેમણે કર્યું. પોતાની એક કથામાં કાગબાપુ એક કલાક માટે કથાના શ્રોતા બનેલા એનું પણ બાપુએ સ્મરણ કરીને આનંદ વ્યક્ત કર્યો. સીતોપનિષદને યાદ કરતાં બાપુએ કહ્યું કે - "પૃથ્વીની જો કોઈ કવિતા હોય તો તે સીતા છે." 
પૂજ્ય બાપુએ કહ્યું કે સીતા રૂપી કવિતા બે રેખામાંથી બહાર નીકળી ગઈ અને એક રેખામાં સમાઇ ગઈ.
રાજા જનકજીએ જ્યારે ધરતી ઉપર હળથી રેખા આંકી, ત્યારે તે રેખામાંથી સીતા બહાર નીકળે છે,  પ્રગટ થાય છે. બીજી રેખા પંચવટીમાં લક્ષ્મણજીએ દોરી, ત્યારે જગનું મંગલ કરવા માટે સીતાજી, એ રેખામાંથી બહાર નીકળી જાય છે.
અને અશોકવાટિકામાં પોતાના ચરણની રેખામાં સીતાજી સમાઈ ગયા છે.
બાપુએ કહ્યું કે આપણાં સૌનાં કપાળમાં વિધાતા લેખ લખે છે, પરંતુ માતા સરસ્વતી એકમાત્ર ચારણની જીભ ઉપર જ લેખ લખે છે ! અને એટલે જ ચારણની જીભની જવાબદારી વધી જાય છે. કવિએ કઈ રેખામાંથી બહાર આવવું, કોને કારણે બહાર આવવું તેમજ ક્યારે રેખામાં સમય જવું, એ નક્કી કરવું જોઈએ.
સિતોપનિષદનો એક મંત્ર છે
"સા વિદ્યા વેદમયી દેવમયી લોકમયી કીર્તિમયી કાર્યકારણમયી" 
ભગત બાપુએ લોકવિદ્યાની ઉપાસના કરી, જેના ઉપર ઉપનિષદ હસ્તાક્ષર કરે છે! લોકવિદ્યા વેદમયી છે. માતૃદેવો ભવ, પિતૃ દેવોભવ, આચાર્ય દેવોભવ અને અતિથિ દેવોભવ - આ ચાર આપણા વેદના મંત્રોને કાગબાપુની કવિતામાં સાર્થક થતા જોઈ શકાય છે.
કાગબાપુની કવિતા દેવમયી છે, કારણ કે એમાં પૌરાણિક પ્રસંગો- મહાભારત, પુરાણ અને દેવતાઓની પોતાની રીતે કાગબાપુએ આરતી ઉતારી છે- વંદના કરી છે. એટલે તેમાં દેવત્વ ધબકે છે.
કાગબાપુની કવિતા લોકમયી છે. શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય એ બે રેલવેના બે પાટા સમાન છે, જેના પર સમાંતર રીતે કવિતા ચાલે છે. બંને સરખા મહત્વના છે. એક વેદની ધારા છે અને બીજી વેદનાની ધારા છે. કાગબાપુની કવિતા  લોકહ્દયની વેદનાને ઝીલે છે. છેલ્લામાં છેલ્લો માણસ સમજી શકે, એવી લોકમયી કાગબાપુની કવિતા છે. બાપુએ કહ્યું કે હંસ ભલે જતા રહે, ભલે ઓછા થાય - એની સમાજે ચિંતા કરવા જેવું નથી. પરંતુ કાગ ન જતો રહેવો જોઈએ. કાગ આપણો ઋષિ છે.
પૂજ્ય બાપુએ અહીં માર્મિક રીતે કહ્યું કે - "છેલ્લો માણસ જેને સમજી શકે, એને પહેલો માણસ કેમ નહીં સમજી શકતો હોય એ હજી મને સમજાતું નથી....!!" 
કાગબાપુની કવિતા કીર્તિમયી છે. લોક-હૈયામાં કાગબાપુની કવિતા રૂપી કિર્તી ગુંજે છે.એ જ રીતે કાગબાપુની કવિતામાં કારણ પણ છે અને એનું કાર્યક્ષેત્ર પણ છે.
એવી આ કાગની કવિતા છે.આવી પંચ- ગુણમયી વાણીના પ્રવક્તા કાગબાપુ છે.
બાપુએ એક શેર અર્જ કરતા કહ્યું કે" ફક્ર યે હૈ કિ વો મેરે હૈ ફીક્ર યહ હૈ કિ  કબ તક હૈ?" 
અને - 
"યે જો તેરી મજબૂરી હૈ,
યહી તો સબસે બડી મજબૂરી હૈ..." 
અંતમાં પૂજ્ય બાપુએ કહ્યું કે -
"આ ફળિયું બધાંને ભેગા મળીને રહેવાની શીખ આપે છે. સાધુ, ચારણ અને જગદંબા કોઈને શ્રાપ ન આપે  ચેતવણી આપે. કાગબાપુએ પણ પોતાની કવિતા દ્વારા સૌને ચેતવણી આપી છે કે સંપીને નહીં રહો, તો માઠાં પરિણામ મળી શકે છે.....
રાત્રી કાર્યક્રમમાં તેમની વંદના થવાની છે, તે સૌ મહાનુભાવોનું સ્મરણ કરી અને બાપુએ એ કાર્યક્રમની આગોતરી પ્રસન્નતા સાથે પોતાની વાણીને વિરામ આપ્યો.🙏

25 फ़रवरी 2020

પ.પૂ. આઈશ્રી મોમાય માતાજીના 16 મો પાટોત્સવ મહોત્સવ આમંત્રણપત્રિકા

પ.પૂ. આઈશ્રી મોમાય માતાજીના 16 મો પાટોત્સવ મહોત્સવ

તા.02-03-2020, સોમવાર

સ્થળ :- મોટા કરોડીયા તા. અબડાસા જી. કચ્છ

નિમંત્રક
શ્રી મોટા કરોડીયા ચારણ સમાજ

      વંદે સોનલ માતરમ્

24 फ़रवरी 2020

चारण क्यारे बोले ? ए...दान अलगारी गांधीनगर

चारण क्यारे बोले ?  ए...दान अलगारी गांधीनगर



चारण क्यारे बोले ? पाटॅ-१ ए...दान अलगारी गांधीनगर :- Click Here






चारण क्यारे बोले ? पाटॅ-2 ए...दान अलगारी गांधीनगर :- Click Here



22 फ़रवरी 2020

|| सदाय आप शंकरा || || कवि मितेशदान गढवी(सिंहढाय्च) ||

*|| सदाय आप शंकरा ||*
*|| कर्ता : मितेशदान गढवी(सिंहढाय्च) ||*
*||  छंद नाराच ||*



*दुहो*

*त्रयलोचन त्रियभुवनपति,जटागंग धरी जे*
*मंथन जग परे मितभा,आजेय अवीचळ ए,*


*छंद नाराच*
🥀🥀🥀🥀🥀


महा जपो विराट विश्वनाथ है महेश्वरा,
कृपानिधान कामनाश न्याल कालकेश्वरा,
हिये सदाय हाजरा हिणा वरो हरो हरा,
सहायनाथ साथ रो सदाय आप शंकरा,


प्रजाय प्रित पालकाय भुप  तु  पुरंदरा,
सजाव लोक भाल तेज आप रूप सुंदरा,
अहो अभेय आप अंत आप जीव अम्मरा,
सहायनाथ साथ रो सदाय आप शंकरा,


जटा विशाल भष्म तेज ज्वाल तु जोगंधरा,
कृपाल काल घाट में सजाव बांध कंधरा,
विराज व्याघचर्म बांध कंठमें विषंभरा,
सहायनाथ साथ रो सदाय आप शंकरा,(3)

अहो शु भाव भोळीया कृपा भर्याय अंतरा,
सुरा वसो अमो दला त्रि आभ मध्य सरभरा,
चवे गुणाय चारणा प्रकाश द्यो ने चंदरा,
सहाय नाथ साथ रो सदाय आप शंकरा,(4)


अजन्म देव नाम जे उगारे लोक आकरा,
निवंश अंश नाद सु व्रदान दैव  को नरा,
उमंग  मित  ध्यानसु  रहो सदा उमेश्वरा,
सहायनाथ साथ रो सदाय नाथ शंकरा(5)


*🙏---मितेशदान(सिंहढाय्च)---🙏*


*कवि मित*
9558336512

12 फ़रवरी 2020

चारण समाजनुं गौरव :- ARMY लेखित परीक्षामा पास

चारण समाजनुं गौरव :- ARMY लेखित परीक्षामा पास

*कच्छ जिल्ला मांथी चारण-गढवी समाजना आर्मी भरतीमां पास थयेल उमेदवारो*

(1) अरजण सामतभाई गढवी - मोटा भाडिया
(2) शिवराज पबूभाई गढवी - मोटा भाडिया
(3) करशन गढवी - झरपरा
(4) विश्राम गढवी - झरपरा
(5) जगदीश गढवी - झरपरा
(6) पालू गढवी - झरपरा
(7) कानजी गढवी - झरपरा
(8) धनराज गढवी - झरपरा
(9) मुरजी गढवी - झरपरा
(10) गोपाल गढवी - मोटी खाखर
(11) सवराज गढवी - मोटी खाखर
(12) माणेक गढवी - मोटी खाखर
(13) हरि वरजागभाई गढवी - बोराणा
(14) मुरजी पालूभाई गढवी - बोराणा
(15) पालु माणेकभाई गढवी - बोराणा
(16) लखन विश्रामभाई गढवी - कोडाय
(17) विजय सवराजभाई गढवी - भाडा
(18) भावेश अरजणभाई कारीया - मोटा लायजा 

ऊपर ना लीस्ट सिवाय ना कच्छ चारण गढवी समाजना कोई आर्मी भरती मा पासे थयेल होय तो नाम अने गामनु नाम आ नंबर 7043799797 पर मोकली आपवा विनंती

पास थयेल तमामने खूब खूब अभिनंदन

9 फ़रवरी 2020

श्री अखिल कच्छ चारण सभा आयोजीत आई श्री सोनल मा प्रेरित समूह लग्न महोत्सव-2020

श्री अखिल कच्छ चारण सभा आयोजीत आई श्री सोनल मा प्रेरित समूह लग्न महोत्सव-2020

ता.26-04-2020, वैशाख सुद-3, (अखात्रीज)

लग्न प्रसंग ऐ दरेक परिवार माटे आनंदनो अवसर छे. जो ऐ समुहमां उजवाय तो अति रुडा लागे अने समाजनो रुपियो अने समय बचे. लग्न प्रसंगनो मात्र जे ते परिवार पुरतो सिमित नथी. तेमा परिवार साथे जोडायेला दरेक सगा संबंधी ओने पण नाणा अने समयनो भोग आपवो पडे छे. माटे सर्वे भाईओ समूह लग्नमां ऐक तांतणे जोडाई नाणा अने समयने बचावीये

गुजरात सरकारनी   "कुंवरबाई नुं मामेरु" तथा "सात फेरा समूह लग्न" योजनानो नाणाकीय लाभ मेळववा माटे नीचे मुजबना आधारो प्रमाणित (टू कोपी)  तेमज ओरीजनल साथे लई आववा फरजीयात छे. 

जरूरी आधार पुरावानी माहिती

(1) जन्मनो प्रमाणपत्र / शाळा छोडयानुं प्रमाणपत्र - वर अने कन्या 
(2) वर तथा कन्याना आधारकार्ड/चूंटणीकार्ड नी नकल
(3) वर तथा कन्याना 4 फोटा (पासपोर्ट साईज)
(4)  वर अने कन्या ना राशनकार्ड नी नकल
(5)  वर अने कन्या ना जातिना प्रमाणपत्र नी नकल
(6) कन्याना पितानो आवकनो दाखलो (आवक मर्यादा ग्राम्य विस्तार माटे - रू. 1,20,000 /- , शहेरी विस्तार माटे रू. 1,50,000/- )
(7) कन्या नी बेंक पासबुक नी नकल
(8) वर अने कन्या ना पिता/माता  आधार कार्डनी  नकल

नोंध :- ऊपर मुजबना आधारोनी प्रमाणित करावेल (टु कोपी) 4(चार) नकलमां आपवानी रहेशे.

नाम नोंधणीनी छेल्ली ता.30-03-2020

समूह लग्न माटे नाम नोंधणी माटे

(1) श्री लक्ष्मण राग चारण बोर्डिंग, लायजा रोड, मांडवी-कच्छ
02834223698

(2) रमेशभाई गढवी (गीता ऐन्टरप्राईझ)
पोस्ट ऑफिसनी सामे, मांडवी कच्छ
मो. 9879292094

(3) नाराणभाई कानजीभाई गढवी (ऐडवोकेट)
जैन धर्मशाळा पासे, मांडवी-कच्छ
मो. 9879600074

नोंध :- आ शुभदिने प्रभुतामा पगला मांडनारा नवदंपती (वर-वधु) पक्षो तरफथी कोई पण रकम आपवानी रहेशे नही.

समग्र प्रसंगना दाताश्रीओ
श्री प्रभुभाई रामभाई गेलवा (मोटी खाखर)
श्री खेतशीभाई देवराजभाई मुंधुडा (मुंबई)
श्री ईश्वरभाई अरजणभाई मुंधुडा (नानी रायण)

शुभ स्थळ
श्री लक्ष्मण राग चारण बोर्डिंग, लायजा रोड, मांडवी-कच्छ

निमंत्रक
श्री विजयभाई करशनभाई गढवी - प्रमुखश्री अखिल कच्छ चारण सभा 
श्री देवराजभाई हरीभाई गढवी - उपप्रमुखश्री अखिल कच्छ चारण सभा 
श्री भचुभाई लधाभाई गढवी - प्रमुख श्री समूह लग्न समिति, मांडवी
श्री भीमशीभाई काकुभाई बारोट - मंत्रीश्री
श्री अखिल कच्छ चारण सभा तथा समूह लग्न समितिना तमाम सेवको


आ मांगलीक प्रसंगे वधुमां वधु संख्यामां प्रभुताना पगला मांडवा नवदंपतीओ समूह लग्नमां जोडाय ऐवी नम्र अपील करवामां आवे छे.

         वंदे सोनल मातरम्


7 फ़रवरी 2020

28 मो समूह लग्न महोत्सव कंकोत्री राजकोट

28  मो समूह लग्न महोत्सव कंकोत्री राजकोट 

ता.16-02-2020

28 मो समूह लग्न महोत्सव कंकोत्री राजकोट (PDF) ::- Click Here




अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 

Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


                        
                               वंदे सोनल मातरम

3 फ़रवरी 2020

चारण समाजनुं गौरव रणजीतभाई रामभाई बावडाने भारत सरकार द्रारा सेवा पदकथी सन्मान

चारण समाजनुं गौरव रणजीतभाई रामभाई बावडाने भारत सरकार द्रारा सेवा पदकथी सन्मान

श्री रणजीतभाई रामभाई बावडा, (A.S.I) मोरबी

खूब खूब अभिनंदन





2 फ़रवरी 2020

आईश्री खोडियार मां जयंती


आजे महा सुद आठम ऐटले खोडियार जयंती

आजे आई श्री खोडियार मांनी टुंकमां माहिती
नाम :- जानबाई / खोडियार
पितानुं नाम :- मामडिया चारण
मातानुं नाम :- मीणबाई
जन्म :- महा सुद आठम
बहेनो :- आवड, जोगड़, तोगड़, बीजबाई, होलबाई, सांसाई, जानबाई
भाई :- मेरखियो

संदर्भ ::- मातृदर्शन लेखक :- पिंगळशीभाई पायक 

आई श्री खोडियार जयंती ऐ कोटी कोटी वंदन


AVTARI AAI KHODAL




1 फ़रवरी 2020

कवि काग ऐवोर्ड -2020

कवि काग ऐवोर्ड -2020

पू. मोरारीबापु प्रेरीत कवि काग ऐवोर्ड-2020 नीचे मुजब आपवामां आवशे.

(1) स्व. नारणदानजी सुरु
(2) श्री कवि अनुभाई जामंग (बावळी)
(3) श्री राजभा गढवी (गीर)
(4) श्री रतिलाल नाथालाल दवे
(5) श्री भंवरसिंह सामोर (राजस्थान)

ता.27-02-2020 ने गुरूवारना रोज कागधाम मजादर खाते पह्मश्री दुला भाया काग (भगत बापु) नी  पूण्यतिथि ऐ पू. मोरारीबापुना हस्ते कवि काग ऐवोर्ड आपवामां आवशे.

कवि काग ऐवोर्ड-2020  मेळववा बदल खूब खूब अभीनंदन

                   वंदे सोनल मातरम् 


Sponsored Ads

ADVT

ADVT