.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

27 अप्रैल 2022

સ્વ. મોમાયાભાઈ વાલજીભાઈ બાનાયત પરિવાર (મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ) ના આંગણે ચિ.દેવાંધ, ચિ.રતન, ચિ.હરિના લગ્ન પ્રસંગે રૂ. 30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર

સ્વ. મોમાયાભાઈ વાલજીભાઈ બાનાયત પરિવાર (મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ) ના આંગણે ચિ.દેવાંધ, ચિ.રતન, ચિ.હરિના લગ્ન પ્રસંગે રૂ. 30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર

*નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત,*
*કીર્તિ કેરા કોટડા ઈતો પાડયાં નહીં પડંત*

જીવદયા એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. જીવદયા એજ સાચી માનવતા છે. "જીવદયા એટલે મોક્ષ માર્ગ" અબોલ પશુઓની સેવાએ મનુષ્યને આત્મ સંતોષ સાથે પુણ્ય કમાવવાની તક આપે છે. 

જીવદયા માટે વાલજીભાઈ ની અમૂલ્ય અને ઉમદા નિઃસ્વાર્થ ભાવના થકી એમના ઘરે શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે સંતવાણી તથા દાંડિયારાસના કાર્યક્રમમાં રૂ.  30,11,000 (અંકે. રૂપીયા ત્રીસ લાખ અગિયાર હજાર પુરા) ગાયોના લાભાર્થે ઘોર થયેલ જે રકમ શ્રી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને વાલજીભાઈ દ્રારા અર્પણ કરવામાં આવેલ. *આટલી મોટી ઘોર સ્વરૂપે રકમ મોટા ભાડિયા ગામના અત્યાર સુધીના ગાયોના ચારા માટે ઘોરની રકમનું રેકર્ડ થયેલ છે.* વાલજીભાઈ તથા પધારેલ મહેમાનો અને ગ્રામજનો તથા બાનાયત પરિવાર દ્રારા ગાયોના લાભાર્થે મનમૂકીને ઘોર સ્વરૂપે રૂપિયાનો વરસાદ કરવામાં આવેલ જેના પરિણામ સ્વરૂપે આટલી મોટી રકમ ગાય માતાના ઘાસચારા માટે એકઠી થઈ શકેલ છે.
આ અમૂલ્ય યોગદાન બદલ વાલજીભાઈ તથા સર્વે દાતાશ્રીઓનું મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે.

સરળ સ્વભાવ, અને પરોપકારી જીવન, સાદગીમાં માનતા નિઃસ્વાર્થ ભાવે સેવા અને ઉમદા કાર્ય કરતા એવા *વાલજીભાઈ કરશનભાઈ ગઢવી (બાનાયત)* નું જન્મ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે શ્રાવણ વદ-11ના રોજ માતૃશ્રી લક્ષ્મીબેન અને પિતાશ્રી કરશનભાઈ મોમાયાભાઈ બાનાયત ના ઘરે થયેલ. સાધારણ ખેડૂત પરિવાર. એ સમયે સ્થાનિકે રોજગારી માટે કોઈ સગવડ ના હોવાથી વાલજીભાઈ નાની ઉંમરે રોજગારી માટે દેશની મહાનગરી એવી મુંબઈની વાટ પકડી, મુંબઈ ખાતે કાપડની દુકાને નોકરી થી કારકિર્દીની શરૂઆત કરેલ. 10 થી 12 વર્ષ નોકરી કરી કાપડ વ્યવસાયનું બહોળો અનુભવ અને વાલજીભાઈની કર્મ નિષ્ઠાથી જે મહેનત કરેલ જેના પરિણામ સ્વરૂપે તેઓ પોતાનું વ્યવસાય દિવ્યમ ફેબ નામથી શરૂ કરેલ. ધીમે ધીમે નાના પાયે કાપડના વ્યવસાયની શરૂઆત કરેલ. અને હાલે શૂન્ય માંથી સર્જન કરી મુંબઈ જેવી મહા નગરીમાં કાપડ ના વ્યવસાયમાં દિવ્યમ ફેબ, હિંદમાતા દાદર તથા દીપમ ફેબ, હિંદમાતા દાદર ખાતે કાપડના વ્યવસાયમાં બહુ જ મોટું નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે.

મોટા ભાડિયા ચારણ સમાજના રત્ન, દાનવીર ભામાશા એવા શ્રી વાલજીભાઈ કરશનભાઈ બાનાયતએ પોતાના 50 વર્ષે પ્રવેશ નિમિત્તે સુર્વણ જયંતિ  મહોત્સવની ઉજવણી જીવદયા માટે પોતે રૂ.1,00,000 /- તથા શુભેચ્છકો તરફ થી રૂ. 6,75,000 /- કુલ રૂ. 7,75,000 /- મોટા ભાડિયાના રામધણના નિભાવ તથા ઘાસચારાની વ્યવસ્થા માટે શ્રી મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને અર્પણ કરીને જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરેલ. એ સિવાય દર વર્ષે રામધણ અને ગાયો માટે અઢળક આર્થિક યોગદાન આપવામાં આવે છે.

ચારણ સમાજના દરેક કાર્ય માટે વાલજીભાઈ દ્રારા હરહંમેશ આર્થિક યોગદાન મળતું જ હોય છે, જેમ કે, સમુહ લગ્ન હોય, મોટા ભાડિયા ચારણ સમાજ વાડી ખાતે આવેલ અન્નપૂર્ણા વાસણ ભંડાર, શિક્ષણ, તથા રખડતા પશુઓ રામધણ માટે સૌપ્રથમ પહેલ કરનાર, એવા તો અઢળક સામાજિક કાર્યોમાં વાલજીભાઈનું સિંહફાળો હોય છે. કોઈ પણ જાતની પ્રસિદ્ધ વગર સેવાનું ઉમદા કાર્ય વાલજીભાઈ દ્રારા કરવામાં આવે છે. 

વાલજીભાઈએ જીવદયા, ગૌસેવા, અને સમાજ સેવા માટે હરહંમેશ માટે તૈયારી બતાવી છે અને એ માટે આર્થિક યોગદાન પણ આપેલ છે.

નિઃસ્વાર્થ, નિખાલસ, નીરઅભિમાની, નીડર એવા વાલજીભાઈ કોઈની ખટપટ કરવામાં માનતા નથી અને સત્કાર્યો કરતા સારા માણસોને હંમેશા પ્રોત્સાહન આપે છે. આપણા ગામના તથા અન્ય યુવાનોને પોતાના અનુભવ થકી લાઇન આપી આગળ વધારેલ છે. એવા તો અનેક યુવાનોને આપણે જોઈ શકીએ છીએ.

વાલજીભાઈની સાદગી, સરળતા, નિખાલસ વ્યકિત, વાલજીભાઈ દ્રારા કરવામાં આવતા કાર્યો માટે શબ્દો ઓછા પડે એવા સમાજના મુક સેવકને વંદન.

મોટા ભાડિયા ગૌશાળા માં હાલે 850 જેટલી ગાયોને ચારો આપવામાં આવે છે. દૈનિક રૂ. 25000 /- ચારોનો ખર્ચ થાય છે.

22 अप्रैल 2022

જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની સકલ કેવી રીતે બદલી શકે તેની પ્રેરક વાત લેખ બાય શૈલેષભાઈ સગપરિયા સાહેબ

જો ગામના યુવાનો ઈચ્છે તો ગામની સકલ કેવી રીતે બદલી શકે તેની પ્રેરક સત્ય વાત આપ સૌ સાથે વહેંચવી છે.

મુન્દ્રા તાલુકામાં વવાર નામનું લગભગ ૨૦૦૦ માણસોની વસ્તી ધરાવતું ગઢવીઓનું એક ગામ છે. માર્ગદર્શનના અભાવને લીધે ગામના યુવાનો અભ્યાસ કરવાને બદલે થોડું ભણીને કોઈ કામે લાગી જાય. ભૂતકાળમાં એક સમય તો એવો હતો કે આ ગામની છાપને કારણે કોઈ પોતાની દીકરી આ ગામમાં આપતા પહેલા સતર વખત વિચાર કરે કારણ કે વ્યસન અને બીજા અનિષ્ટો પણ હતા.

ગામના બે યુવાનો એક કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા. માણેક ગઢવી માત્ર 9 ધોરણ ભણેલા અને મેઘરાજ ગઢવી વોચમેન તરીકે નોકરી કરતા કરતા ભણતો હતો. અમુક વર્ષો પહેલા જ્યારે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત આવી ત્યારે વોચમેન તરીકે કામ કરતા મેઘરાજ ગઢવીએ ફોર્મ ભર્યું. શારીરિક કસોટી પાસ કરી લીધી પણ લેખિત પરીક્ષા વિશે વધુ જાણકારી નહોતી એટલે તૈયારી કરવા માટે કંપનીમાં રજા મુકીને ગાંધીનગર ગયો. ખૂબ મહેનત કરી અને પરિણામ રૂપે પરીક્ષા પાસ પણ કરી લીધી.

વોચમેન મેઘરાજ હવે ખાખી પહેરવા લાગ્યો. ગામના કિશોરો અને યુવાનો પણ વ્યસનમુક્ત બનીને પોતાની કારકિર્દી બનાવે એ માટે ગામમાં કંઈક કરવાનું મેઘરાજ નક્કી કર્યું અને મિત્ર માણેકને આ વાત કરી. બંને મિત્રોએ નક્કી કર્યું કે ગામના દીકરા-દીકરીઓની ઊર્જા ખંડનાત્મક કાર્યમાં નહિ પણ રચનાત્મક કાર્યમાં વપરાય અને એની કારકિર્દી બને એ માટે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગામમાં જ તૈયારી કરાવીએ. સંકલ્પ મોટો હતો પણ એને પૂર્ણ કરવા માટે કોઈ જ સાધન-સામગ્રી નહોતી.

માણેકભાઈએ ભૌતિક સુવિધા ઊભી કરવાની જવાબદારી સ્વીકારી તો વિદ્યાર્થીઓને માહિતી, માર્ગદર્શન, કોચિંગ, પુસ્તકો વગેરે આપવાની જવાબદારી મેઘરાજભાઈએ સંભાળી. ઘણાંને એવું લાગ્યું હશે કે નાના અને સુવિધાઓના અભાવ વાળા ગામમાં આવું કંઇ ન થાય. લોકોની વાતોને કાંઈ ધર્યા વગર જે ગામના એક પણ મકાનને પાકી છત નથી એ ગામમાં આ બંને મિત્રોએ શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કર્યો. ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અને ઘણું માનસિક કષ્ટ પણ સહન કરવું પડ્યું પણ હિંમત હાર્યા વગર કામ આગળ વધાર્યું. મહેનતનું ફળ પણ મળ્યું અને ગામનાં બીજા ત્રણ યુવાનો પણ સરકારી નોકરીમાં લાગી ગયા.

સફળતા મળતાં બંને મિત્રોનો ઉત્સાહ વધ્યો. પછી તો સરકારી સેવામાં લાગેલા વિરામ ગઢવી જેવા બીજા યુવાનો પણ જોડાયા અને એક મંડળ તૈયાર થયું. ઇષ્ટદેવ મોરદાદાના નામથી એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યું. શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડતી હતી પછી ધીમે ધીમે લોકોનો સપોર્ટ મળવા માંડયો. વિદ્યાર્થીઓ ભણી શકે અને વાંચી શકે એ માટે એક હોલ બનાવ્યો. હાલમાં બેન્ચ, ડિજિટલ સ્ટડી માટે મોટું ટી.વી., પુસ્તકો માટે લાઇબ્રેરી જેવી સુવિધા ઊભી કરી. કચ્છના આ ખારી વિસ્તારમાં ગરમી બહુ પડે એટલે દાતાઓના સહયોગથી બે એ.સી. વસાવીને હોલને વાતાનુકૂલિત કર્યો. છેક ગાંધીનગરથી નિષ્ણાત ફેકલ્ટીઓ ગામડા સુધી ખેંચી લાવે અને વિદ્યાર્થીઓને એનો લાભ અપાવે. માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા જ નહિ અભ્યાસની બીજી બાબતોમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે છે.

ગામના વિદ્યાર્થીઓ મોબાઈલમાં અને રખડવામાં પોતાનો સમય બગાડતા હતા એ હવે હાથમાં ચોપડી લઈને વાંચતા થયા. ગામનું આખું વાતાવરણ બદલાવા લાગ્યું. હમણાં પોલીસ ભરતી માટે જે પરીક્ષા લેવાઈ એ પરીક્ષામાં નાના એવા આ ગામના ૪૨ દીકરાઓ અને ૨ દીકરીઓએ શારીરિક કસોટી પાસ પણ કરી લીધી. હજુ હમણાં જ આવેલા ફોરેસ્ટ વિભાગની ભરતીના પરિણામમાં પણ આ ગામના ૪ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા. 

જે ગામ એક સમયે ગુનાઓ માટે અને વ્યસન માટે પંકાયેલ હતું એ ગામ શિક્ષણ માટે આસપાસના વિસ્તારમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ ગામના શિક્ષણ સેવા યજ્ઞને જોવા માટે સિનિયર આઇ.એ.એસ., આઇ.પી.એસ. અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ આવી ચૂક્યા છે.

સાવ સામાન્ય ગણાતા માણસો પણ કેવું અસામાન્ય કામ કરી શકે છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દરેક ગામમાં જો માણેક અને મેઘરાજ જેવા યુવાનોની ટીમ તૈયાર થયા તો ગામની રોનક બદલી જાય.

ચારણ સમાજનું ગૌરવ - શ્રી ભગીરથભાઈ ગઢવી

ચારણ સમાજનું ગૌરવ - શ્રી ભગીરથભાઈ ગઢવી

શ્રી ભગીરથદાન ટી. ગઢવી ને IPS ઓફિસર તરીકે બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ...

21 अप्रैल 2022

ભારાબેરાજા ગામના રૂડાચ (ગઢવી) પરિવાર દ્રારા આયોજીત શ્રીમદ્દ ભાગવત એવમ્ દેવીયાણ આમંત્રણપત્રિકા

ભારાબેરાજા ગામના રૂડાચ (ગઢવી) પરિવાર દ્રારા આયોજીત શ્રીમદ્દ ભાગવત એવમ્ દેવીયાણ

શ્રી ભાગવત સપ્તાહ (શ્રી વેદ વ્યાસ રચિત)
તા. 24-04-2022 થી તા.30-04-2022
સમય :- સવારે 09-30 થી 12-30

શ્રી દેવીયાણ (ચારણ મહાત્મા ઈશરદાસજી રચિત)

તા. 25-04-2022 થી તા.28-04-2022
સમય :- બપોરે 03-00 થી 6-00

સ્થળ :- શ્રી કુંભાભાઈ સામતભાઈ રૂડાચની વાડી, ખોડિયાર માતાજીના મંદિર પાસે, ગામ ભારા બેરાજા તા. જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્રારકા

સંપર્ક
નવલભાઈ - 7998987979

"સમ્રાટ" સામતભાઈ ગઢવી (Angel Academy, Gandhinagar) તરફ થી આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ



Sponsored Ads

ADVT

ADVT