.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

25 अगस्त 2016

વૃંદાવન નો કૃષ્ણ કનૈયો - કવિ 'પ્રદીપ' ગઢવી.

||• વૃંદાવન નો કૃષ્ણ કનૈયો •||
- કવિ 'પ્રદીપ' ગઢવી.
વૃંદાવન નો કૃષ્ણ કનૈયો માત યશોદા લાલ,
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
વન વાંસળી યું વાગે તારી સૌ ધ્યાન ધરે ,
શુદ્ધ બુદ્ધ ભૂલી ભાન સાથે સૌ કાન ધરે ,
સૂરનો સાધક નાચ નચાવે જગને તારે તાલ ,
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
ગૌ વર્ધન તું તોળ , તોળ ટચલી આંગળીએ ,
નાગ ને નાથ્યો જોર , નિર ચોખાં કર નદીએ ,
બ્રહમાંડ માં ને મુખ માં દેખાડ્યું પછી મરકે દિન દયાલ
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ.....
નંદ બાવો બડભાગ ઈ ભોમપર નાથ રમે ,
ભોળો યોગી રૂપ તૃપ્ત આ ધર ને નમે
'પ્રદીપ'કેવું તુજ આંગણિ યું જ્યાં ભમતો ભડ ભૂપાલ ,
નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ....
• જન્માષ્ટમી પર્વની આપને તથા આપના પરિવાર ને ખુબ જ શુભેચ્છા •
|| જય શ્રી કૃષ્ણ ||

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT