.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

31 दिसंबर 2022

માતૃદર્શન

આઇ શ્રી સોનલ માતાજી મઢડા નાં જીવન કવન અને દર્શન ને લગતો પૂજ્ય શ્રી પિંગલશી પરબતજી પાયક લોદ્રાણી કચ્છ સંપાદિત ગ્રંથ.********* *માતૃ દર્શન* *****.
માતૃ દર્શન

અતિ દુર્લભ અને અપ્રાપ્ય પુસ્તક પીંગળશીભાઈ પાયક લિખિત “માતૃ દર્શન” જેમાં આઈશ્રી સોનબાઈ મા ના રોજબરોજની જીવન ચર્યા, પ્રેરક પ્રસંગો, કચ્છ પ્રવાસ, તથા વાસ્તવિક માહિતી પૂરી પાડતું અદ્ભુત ગ્રંથની નવી પ્રિન્ટ આવી ગઈ છે..

કિંમત રૂ. 1000 /- 

*પરમ વંદનીય શ્રીપિંગળશીભાઇ પાયક રચિત માતૃ દર્શન*

માતૃદર્શન ગ્રંથ ની પુનઃ પ્રાપ્તિ: ચારણ સમાજ મા ઋષી નું બહુમાન પ્રાપ્ત કરનાર પરમ વંદનીય પિંગળશીભાઇ પાયક એ માતૃદર્શન ગ્રંથ ની રચના કરી એક તપસ્વી તપના ફળ સ્વરૂપે સમાજ ને આ અમૂલ્ય ગ્રંથ મળ્યો આઈ માં સાથે ઘણા વર્ષો ની સમાજ ની સેવા કરી જેમના ત્યાગ નો જોટો ઝડવો મુશ્કેલ છે સમાજ માટે સઘળું ત્યાગી એક ૠષી ની જેમ જીવન તપસ્યા કરી આજ શિક્ષણ ક્ષેત્રે ચારણ સમાજ ની જે પ્રગતી છે તેમાં પૂજ્ય પિંગળશી બાપુની ભાવનગર બોર્ડિંગ માં આપેલ સેવાનું ફળ છે આઈ માની સેવામાં જીવન સમર્પિત કરી સમાજ ના વિકાસ અને ઉત્થાન માટે જીવન પર્યંત કાર્યરત રહ્યા આઇમના દર્શન ચિરિંજીવી રહે એવા ગ્રંથ માતૃદર્શન સમાજ માટે જાગતી જ્યોત છે

હાલમાં આ ગ્રંથ અપ્રાપ્ય હોય પિંગળશી બાપુ ના પરિવાર દ્વારા પુનઃ પ્રકાશન કરવામા આવી રહયુ છે .આ ગ્રંથ મેળવવા માટેનું સંપર્ક સ્થળ 
 દેવદત્ત ભાઈ ભુજ (9426916044) 
વિષ્ણુભાઈ પાયક અંજાર (9265619121) 
અને અનિલભાઈ પાયક વડોદરા (7574866228). 

કુરિયર થી ગ્રંથ મંગાવવા માટે અનિલભાઈ પાયક નો કોન્ટેક્ટ કરવો.કુરિયર દ્વારા મંગાવવા માટે G-Pay અથવા તો paytm દ્વારા ( નંબર 7574866228 ) ઉપર પેમેન્ટ કરી અને જાણ કરવી. પુસ્તકની કિંમત 1000 રૂપિયા છે કુરિયર ચાર્જીસ ₹50 , ટોટલ 1050 રૂપિયા

કચ્છ જિલ્લા મા મેળવવા માટે
99798 94498
98255 91495
99097 22410

રાજકોટ તેમજ કુરિયર થી મંગાવવા માટે
કવિશ્રી પ્રવિણભાઈ મધુડા, રાજકોટ
97239 38056


26 दिसंबर 2022

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ બીજો દિવસ (સોનલબીજ) અહેવાલ

 આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ બીજો દિવસ (સોનલબીજ)  અહેવાલ



કચ્છમિત્ર મા અહેવાય - કરશન  ગઢવી (મોટા ભાડીયા), રમેશ ગઢવી (કાઠડા), જીવરાજ ગઢવી (કોડાય) 

સોનલ જન્મ શતાબ્દી વર્ષ પ્રવેશે ચારણી રંગ નિખર્યો

ઇશ્વરને પણ અવતરવાના અભરખા જાગે એવી ચારણી કૂખે અવતરેલા પૂ. આઇ સોનલમા માનવકલ્યાણ માટે પોતાનું આયખું સમર્પિત કરી જીવનપર્યંત શિવોપાસના સાથે સનાતન ધર્મની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાના આશય સાથે' પોતાના ચારણ સમાજને ચારણપણાનો પંથ દર્શાવી ગયેલા સોનલમાની યાદમાં ઊજવાતી સોનલ બીજની આજે માંડવીમાં અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરાઇ હતી, જેમાં ચારણી પ્રતિભાઓ, તેજસ્વી તારલા, રાજકીય આગેવાનો, પૂ. સંતો-માતાજીઓના સન્માન સાથે ચારણી રંગ નિતરતો રંગ' કસુંબલ ડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમો યોજાયા હતા. સોનલ જન્મ શતાબ્દી વર્ષ મંગલ પ્રવેશ અંતર્ગત થયેલા આ આયોજનમાં' ચારણો અને ચારણેત્તરની વિશેષ હાજરી ધ્યાનાકર્ષક રહી હતી. સમારોહને' સંબોધતાં માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ જીવનમાં' શિક્ષણક્ષેત્રે આગળ વધવા પૂ. સોનલમાએ ચીંધેલા માર્ગ પર ચાલવા અનુરોધ કરતાં કહ્યું હતું કે, જીવનમાં પુરુષાર્થ સાચો દેવ છે.' સાંસદ વિનોદભાઇ ચાવડાએ' દેવત્વ સાથે ચારણ ઉપરાંત અઢારે આલમમાં જીવન આચરણ, સમરસતા, વિકાસ અને પ્રકાશ પુંજનો પમરાટ પ્રસરાવી ગયેલા સોનલમા અઢારે આલમના આરાધ્ય માતાજી છે. નજીકના ભવિષ્યમાં' ભુજમાં ચારણ સમાજની દીકરીઓ માટે' સાવિત્રીબેન પુષ્પદાનભાઇ ગઢવીના નામકરણ સાથે નિર્માણ પામનારા કન્યા છાત્રાલય માટે રૂા. દસ લાખની ગ્રાન્ટની' આધ્યાત્મિક સંસ્કાર વારસાની' ચેતનવંતી જ્યોત જગાવી ગયેલા સોનલમા ભારતવર્ષના માતા છે.' આ શતાબ્દી મહોત્સવ પ્રવેશ વર્ષ ઊજવાઇ રહ્યો છે, ત્યારે' અનુરોધ કર્યો કે, ચારણોના કાંઠાળ વિસ્તારના તમામ ગામોમાંથી ગૌચર દબાણ દૂર થાય, કોઇ દબાણ ન કરે, સમાજ નશામુકત બને, પ્રકૃતિ અને પર્યાવરણના જતન સાથે શતાબ્દી મહોત્સવને ચાર ચાંદ લાગી જાય તેવા કાર્યો જેવા કે દરેક ગામોમાં સોનલ સ્મૃતિવન, સોનલ સરોવરનું નિર્માણ થાય. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે, ચારણ સમાજ પૌરાણિક સમયથી અમારા સમાજ સાથે નિકટતાનો નાતો ધરાવે છે અને સામાજિક સમરસતાથી રાષ્ટ્રની પ્રગતિમાં ભાગીદાર રહે છે.' ઘનશ્યામભાઇ મોડ (અમદાવાદ), કૈલાસદાનભાઇ ગઢવી (લાખોંદ)એ પણ સામાજિક વિકાસ સાથે આયોજકોની ભાવનાને બિરદાવી હતી. વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવીએ સોનલમાની અમીદૃષ્ટિથી કચ્છ ચારણ સમાજના થઇ રહેલા શૈક્ષણિક માળખાંનો ગ્રાફ સમાજના સહકારથી વધુ ઊંચો લાવવા અપીલ કરતાં કહ્યું કે, સમાજને હવે આઇએએસ, જીપીએસસીમાં વધારે યુવાનો પાસ થાય તે સમયનો સાદ છે. કેડીસીસીના ચેરમેન દેવરાજભાઇ ગઢવીએ શુભકામનાઓ વ્યકત' કરી છે. મંચસ્થ માંડવીના' નગરઅધ્યક્ષા હેતલબેન સોનેજી, જિ.પં. કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, ગત તા.પં. તથા જિ.પં.માં ચૂંટાયેલા સમાજના પ્રતિનિધિઓ, અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભાના મહામંત્રી મોમાયાભાઇ ગઢવી, મુખ્ય દાતા અરજણભાઇ ગઢવી, ચા. સમાજ મંત્રી ભીમશી બાપા, લોકસાહિત્યકાર રાજેશભાઇ ગઢવી, નારાણ કરમણ ગેલવા, રાયણ ચા. સમાજ પ્રમુખ હરિભાઇ ગઢવી, બાડા ગામે સોનલમા મંદિર નિર્માણના દાતા જયંતીભાઇ શાહ, વીઆરટીઆઇના કમલેન્દુ ભકત, ગોરર્ધન પટેલ વગેરેને આયોજક' સમિતિએ' સન્માનિત કર્યા હતા. પૂ. માતાજીઓ દેવલમા, ધનબાઇમા, લાછબાઇમા, આશામા, પૂ. સંતો કલ્યાણદાસજી બાપુ, અર્જુનનાથજી બાપુ સહિતનાઓની સંતવંદના કરાઇ હતી. પોલીસ ઇન્સ્પેક્ટરો શિવરાજ ગઢવી, મયૂર ગઢવી, મહેશભાઇ આહીર, જીપીએસસી પાસ કરેલા ટેક્સ ઇન્સ્પેક્ટર આશિષ ગઢવી, રૂપલબેન ગઢવી, યોગેશભાઇ ગઢવી, ડો. દેવાંશી ગઢવી સહિતના પીઆઇ, પીએસઆઇ, તેમજ જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલી સમાજની તમામ પ્રતિભાઓને' સમાજે વધાવી હતી. નિરંજન બાપુ ચે. ટ્રસ્ટ તેમજ કૈલાસદાન કરણીદાન ગઢવી (સીએ) તેમજ શહીદ વીર માણશી ગઢવીની સ્મૃતિમાં ચારણ સમાજમાં ધો. 10માં સમાજમાં 91.67 સાથે પ્રથમ નંબરે આવેલા બે છાત્ર જયશ્રીબેન રતનભાઇ ગઢવી (મોટા ભાડિયા), હાર્દિકદાન કરણીદાન ગઢવી (વરણું), ધો. 12માં સમાજમાં 92.20 ટકા સાથે પ્રથમ આવેલી ઓમિકા રામભાઇ ગઢવી (ઝરપરા)ને રનિંગ શિલ્ડ અને ટ્રોફી તેમજ ધો. 10-12 તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસમાં સારા ગુણ મેળવનાર સમાજના કુલ્લ 384 વિદ્યાર્થીઓને' શિષ્યવૃત્તિ વિતરિત કરાઇ હોવાનું સંયોજક નાગાજણ ગઢવીએ જણાવ્યું હતું. કસુંબલ લોકડાયરામાં સમાજના પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ શૌર્યગાનને સમાવતી વિવિધ રચનાઓ, ભક્તિપદો રજૂ કરતાં ઉમેર્યું હતું કે, સોનલબાઈમાનું જીવન ભારતીય ગરવાઈ અને અસ્મિતાને સમર્પિત હતું. ભારત દુનિયા માટે સંસ્કારનું ઉદ્ગમસ્થાન, સિંચન કરતો દેશ છે. માના ઉત્તરદાયિત્વ પાસે શબ્દોના સીમાડા ટૂંકા પડે. ગુજરાતના ગૌરવાન્વિત કલાકાર કે જેની જીભલડીના ટેરવે મા શારદાના બેસણા હતા તેવા સ્વ. કવિ દાદુદાનભાઈ ગઢવીના પુત્ર જીતુભાઈ દાદે (ગઢવી)એ સોનલમા દૃષ્ટિએ ચારણ વીરરસ, શાંતરસનું ગાન કરતી અદ્ભુત રચનાઓ પ્રસ્તુત કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. પ્રારંભે આજે સવારે દેવલબેન ગઢવી (નાની રાયણ)ના કંઠે ગવાયેલી `સોનલ તું સાદ અમારો, હૈયડે વિશ્વાસ તમારો, પાંખ મને દીધી હોત તો સોનલ, હું નીત મઢડે જાત, જેવી માતાજીની ચરજોએ શક્તિમય ભાવજગતનું નિર્માણ કર્યું હતું. તેમની પ્રસ્તુતિને સમાજે દાદ આપી હતી.

 સંતવાણીમાં સોનલ સરોવર માટે 5.25 લાખ એકત્ર 

સોનલ બીજની પૂર્વ સંધ્યાએ લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગના પટાંગણમાં યોજાયેલી સંતવાણીમાં દેવરાજભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી (ભાડિયા), બિરજુ બારોટ, હરિઓમ ગઢવી (આદિપુર) સહિતના કલાકારોએ માતૃભક્તિના ઓવારણા લેતાં ભજનો રજૂ કરી શક્તિતત્ત્વને પોંખ્યું હતું, જેમાં કલાકાર દેવરાજ ગઢવીએ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા `સોનલ સરોવર'નું સમાજના ગામોમાં નિર્માણ કરવાનું આહ્વાન કરતાં ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ ગઢવી અને દાતા પ્રભુભાઈ રામભાઈ ગઢવી તરફથી રૂા. 2.51 લાખ જાહેર કરાતાં રૂા. પાંચ લાખ બે હજાર આપી આ કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી હતી. ઉપરાંત કલાકાર દેવરાજભાઈ તેમજ દેવાંગભાઈ ગઢવી (નાના ભાડિયા) તરફથી પણ 22,000નું દાન મળતાં દાનની રકમ 5.25 લાખે પહોંચી હતી. ભજનાનંદી પાલુભાઈ ગઢવી, રાણશી ગઢવી (કોડાય), દેવરાજ હરિભાઈ ગઢવી, કાઠડા કુટિરના વિરમબાપુ, મૂરજીભાઈ મંધરિયા (ઉનડોઠ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કવિ શ્યામે અને ડાયરાનું સંચાલન સાહિત્યકાર હરિભાઈ ગઢવીએ કર્યું હતું. રવિવારે સાંજે માતૃશક્તિ મહિમાગાન સ્વરૂપે ખીમરાજભાઈ ગઢવી અને ગ્રુપ દ્વારા મહાઆરતી યોજાઈ હતી. સામાજિક ઐક્ય અને ભાવનાત્મકતાના સંગમ સાથે સમાજના સહકારથી સફળતાપૂર્વક પાર પડાયેલા આ આયોજન બદલ સોનલ બીજ ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વર અરજણભાઈ ગઢવી, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને પૂ. દેવલમાએ કચ્છી પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. ઉત્સવમાં સહભાગી વિવિધ સમિતિઓ, કાર્યકરોને સમિતિના ઉપાધ્યક્ષો ધનરાજ પુનશી, ધનરાજ કરમણ તેમજ આગેવાનો વીરેન્દ્રભાઈ, દમયંતીબેન બારોટ, મિત્રજિત વિજય ગઢવી, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઈ ગઢવી, સ્વામી સુખાત્માનંદ, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, કોડાય ચા.સ. પ્રમુખ વાછિયાભાઈ ગઢવી, રાજપૂત સમાજ અગ્રણી રામસંગજી જાડેજા, હરિભાઈ સામરા, ખીમરાજભાઈ ગઢવી વિ.ના હસ્તે સન્માનિત કરાયા હતા. આગામી 11 જેટલી સોનલ બીજની ઉજવણીના મુખ્ય દાતાઓની નામાવલિ જાહેર કરાઈ હતી. આયોજન વ્યવસ્થામાં સામરા રણમલ, હરદાસ પાસ્તા, નારાણ ગઢવી (પાંચોટિયા), મોહન ગઢવી (રાયણ), રાઘવદાન ગઢવી, વાલજી ગઢવી, થારૂભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, સામત ગઢવી, માણેક ગઢવી, દેવાંગ ગઢવી સહિતનાઓ તેમજ ગઢવી મિત્રમંડળની આગેવાની હેઠળ કાઠડા, કોડાય, ભાડા, રાયણ, રતડિયા, બ્રહ્મપુરી-માંડવી, ભાડિયા સહિતના ગામોના કાર્યકરો સહયોગી રહ્યા હતા. સંચાલન મોમાયાભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવીએ અને આભારવિધિ હરિભાઈ ગઢવીએ કરી હતી.














આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ પ્રથમ દિવસીય અહેવાલ

 આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મંગલ પ્રવેશ મહોત્સવ, માંડવી કચ્છ પ્રથમ દિવસીય અહેવાલ 



ચારણત્વને છાજે તે રીતે શક્તિતત્ત્વનું જતન કરવા હાકલ


કચ્છમિત્ર મા અહેવાય - કરશન  ગઢવી (મોટા ભાડીયા), રમેશ ગઢવી (કાઠડા), જીવરાજ ગઢવી (કોડાય) 

દેવકુળ ચારણ જાતિને પોતાના સ્વત્વનું ભાન કરાવવા તથા ઉન્નતિનાં શિખરો તરફ દોરી જવા જેમનું આ સૃષ્ટિમાં અવતરણ થયું એ મહાશક્તિ પૂ. આઇ સોનલમાની યાદમાં ચારણ સમાજ દ્વારા ઉજવાતા પાવનપર્વ સોનલ બીજની આજે માંડવી ખાતે બે દિવસીય ઉજવણીનો હજારો ચારણોની ઉપસ્થિતિમાં પ્રારંભે શોભાયાત્રા, દાતાઓના સન્માન, ધર્મસભા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ચારણોએ એકતાનાં દર્શન સાથે સોનલ શક્તિના ગૌરવગાન કર્યા હતા. આ અવસરે યોજાયેલ ધર્મસભાને સંબોધતાં મોગલધામ કબરાઉના સંત અને ચારણઋષિ સામતબાપુએ ચારણોને પોતાની જાતનો નશો હોવો જોઇએ. અન્ય તમામ નશાઓથી દૂર રહી ચારણત્વને છાજે તે રીતે શક્તિતત્ત્વનું સેવન કરી નિજત્વને જગત સમક્ષ મૂકવાની તરફેણ કરવા ઉમેર્યું હતું. વવારના સંત પૂ. પાલુ ભગતે ચારણી શક્તિઓએ આપેલા સિદ્ધાંતને કેન્દ્રસ્થ રાખવાની હિમાયત કરી હતી. રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુએ સમાજે કરેલી આયોજન વ્યવસ્થાને બિરદાવતાં ઉમેર્યું હતું કે, એકત્વ સાથે થતું કાર્ય ગતિ પામે છે. આઇ પરંપરાના વાહક પૂ. દેવલમા (ભાડા)એ જણાવ્યું કે, આજના દિવસભરના સફળતા પામેલા કાર્યક્રમોમાં જો કોઇ શક્તિ કાર્ય કરતી હોય તો તે સોનલમા જ છે. જશવંતભાઇ?લાંબાએ ચારણી સાહિત્યરસ પીરસ્યો હતો. અઢી દાયકા સુધી માતાજીના અંતેવાસી રહેલા સમર્પિત સમાજસેવક અને જાણીતા લેખક વિદ્વાન ચારણ પુરુષ સ્વ. પીંગળશી પરબતભાઇ પાયક (લોદ્રાણી) રાપર દ્વારા પૂ. સોનલમાના જીવનચરિત્ર, તેમના દ્વારા સમાજ ઉત્થાન માટે કરાયેલા કાર્યો, પ્રવાસો વગેરેના જીવન-કવનને આવરી લેતું પુસ્તક `માતૃદર્શન' આજથી ઘણા વરસો અગાઉ બહાર પડાયું હતું જેની પુન: પ્રિન્ટ નવા સ્વરૂપે `સોનબાઇમા માતૃદર્શન જીવન ઇતિહાસ સંહિતા'નું દેવલમા, ગિરીશ આપા (મઢડા) તથા અગ્રણીઓના હસ્તે વિમોચન કરાયું હતુ. પાયક પરિવારના અગ્રણી અનિલ ભરતભાઇ પાયકે પુસ્તક વિશે વિસ્તૃત માહિતીથી ઉપસ્થિતોને અવગત કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન મંચસ્થ આગેવાનો માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, ધારાશાત્રી દેવરાજભાઇ ગઢવી (ભુજ), મુખ્યદાતા અરજણભાઇ ગઢવી, અગ્રણી વીરેન્દ્રભાઇ કાનાણી, ધારાસભ્યો અનિરુદ્ધભાઇ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રભુભાઇ ગઢવી (ખાખર), મુંદરા તા. ચા. સમાજ પ્રમુખ ડોસાભાઇ ગઢવી, જિ.પં. કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, રાણશી ગઢવી (કોડાય), એન. આર. ગઢવી (જનાણ), પાલુભાઇ ગઢવી (ભજનાનંદી), માંડવી બાર પ્રમુખ ખેરાજ ગઢવી, મુંદરા તા.પં. ઉપપ્રમુખ રતનભાઇ ગઢવી, વિપુલ ગઢવી (ગાંધીધામ), બાબુ ગઢવી (સરપંચ-વવાર), સોનલધામ કાઠડા અધ્યક્ષ જાદવજીભાઇ ગઢવી, હિરજીબાપા કારાણી સહિતનાઓને સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવી, અગ્રણી દેવરાજ હરિભાઇ, સમિતિના ઉપાધ્યક્ષો ધનરાજ પુનશી, ધનરાજ કરમણ, ધનાભા, આનંદ ગઢવી તથા અન્ય સભ્યો દ્વારા સન્માનિત કરાયા હતા. ઉજવણીના મુખ્યદાતા અરજણ લધાભાઇ ગઢવી (નાની રાયણ)ને દેવલમા અને પુષ્પદાનભાઇના હસ્તે વિશિષ્ટ રીતે સન્માનિત કરાયા હતા. માજી ડેપ્યુટી કલેક્ટર અને દાતા દમયંતીબેન બારોટને મહિલા અગ્રણી સાવિત્રીબેન વિજયભાઇ ગઢવીના હસ્તે સન્માન કરાયું હતું તેમજ અન્ય લાખેણા દાનવીરો ઉપરાંત અન્ય સહયોગી તમામ દાતાઓને સમિતિએ સન્માન્યા હતા. પ્રારંભે ગઢવી મિત્રમંડળ દ્વારા ખીમકરણ?દેવીદાન આલગા ચારણ કન્યા છાત્રાલય ખાતે ગઢવી મિત્રમંડળ માંડવી દ્વારા નિર્માણ પામેલ અન્નપૂર્ણા ભવનની અર્પણવિધિ કરાઇ હતી. અદાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહને સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવીના હસ્તે સન્માનિત કરાયા હતા. બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગના પટાંગણમાં રીનોવેશન થયેલ સોનલ ભવન બિલ્ડિંગનું બોર્ડિંગના સંચાલક ભીમશી બાપાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. 18 લાખથી વધારાની લાગતથી વિદ્યાર્થીઓની સુખાકારી માટે નિર્માણ પામેલ આ બિલ્ડિંગના કાર્યને સમાજે વધાવી લીધું હતું. શહેરની અંદર આવેલા કન્યા છાત્રાલયથી રાપરથી સિંધોડી સુધીના ચારણોના તમામ ગામોમાંથી સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી તેમજ સામાજિક ચેતનાની ઝાંખી કરાવતી વિવિધ?જાતની થીમ સાથે આવેલા રથોની શોભાયાત્રાએ માંડવી શહેરમાં આકર્ષણ સાથે ચારણપણાનો નિખાર વ્યક્ત કર્યો હતો. લોકગાયક ખીમરાજ ગઢવીના કંઠે આ શોભાયાત્રામાં શકિતતત્ત્વના, ચારણી શૌર્યના, માતાજીને બિરદાવતા વિવિધ ભક્તિ પદોનું ગાયન કરાયું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કૈલાશદાન (પ્રમુખ-અંજાર ગઢવી સમાજ), શિવરાજ ગઢવી (પ્રમુખ-આદિપુર), વિપુલભા ગઢવી (પ્રમુખ-ગાંધીધામ), મનુભા ગઢવી?(પ્રમુખ-ભચાઉ), કિશોરભા ગઢવી (પ્રમુખ-રાપર), અખિલ ભારત ચારણ ગઢવી મહાસભાના મહામંત્રી મોમાયાભાઇ ગઢવી, મહાસભાના યુવા પ્રમુખ?રાઘવભા ગઢવી, મંત્રી મિત્રજીત ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને વ્યવસ્થામાં ચારણ સમાજના ગામોની વિવિધ?ટીમ ઉપરાંત નાગાજણ ગઢવી, સામરા રણમલ, વાલજી ગઢવી, ભીમશી ગઢવી, ભારૂ ગઢવી, નગરસેવક રાજેશ કાનાણી, મોહન ગઢવી (રાયણ), નારાણ ગઢવી (રાયણ), દિનેશ ગઢવી (કાઠડા), દેવાંગ ગઢવી, મેઘરાજ ગઢવી, ભારૂ ગઢવી (કાઠડા) સહિતના સેવકો સહયોગી બની રહ્યા છે. સોનલ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આવતીકાલે સોનલ બીજની ઉજવણી કરાશે. સંચાલન આશાનંદ ગઢવી, મોમાયાભાઇ, વિશ્રામભાઇ, સાત્ત્વિકદાને સંયુક્ત રીતે કર્યું હતું. આજે શૈક્ષણિક-પ્રતિભા સંપન્ન સન્માન, લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે.














25 दिसंबर 2022

आईश्री सोनल माना प्रागट्य दिवस

आजे पोष सुद-2 ऐटले  प.पु. आईश्री सोनल माना प्रागट्य दिवस छे.  

आई श्री सोनल मांनो संक्षिप्त परीचय

नाम                       : सोनबाई हमीर मोड
पितानु नाम           : हमीर माणसुर मोड
मातानु नाम           : राणबाई माणसुर घांघणिया
जन्मदिन              : वि.सं 1980 , पोष सुद -2
                                ता. 08-01-1924
जन्मस्थल            : मढडा , ता. केशोद , जी. जुनागढ
कुळ                      : चारण कुळ
गौत्र                      : तुंबेल गौत्र
मुळ शाखा             : मवर ( गुंगडा )
पेटा शाखा             : मोड
कुळ ऋषि             : शिव
कुळदेवी               : रवेची
स्वधामगमन       : वि.सं 2031, कारतक सुद -13
                              ता. 27-11-1974
समाधी स्थळ       : कणेरी , ता. केशोद , जि. जुनागढ

संदर्भ : आईश्री सोनल कथामृत लेखक :- आशानंदभाई गढवी झरपरा ता. मुंदरा-कच्छ

 सोनल बीज अंगे वधारे माहिती(PDF FILE)   Click Here

आजे नीचे मुजबना पुस्तको ई- बुक तरीके मुकेल छे.

(1) आईश्री सोनल ईश्वरी - लेखक :- श्री पचाण विश्राम आलगा (ई-बुक) Click Here

(2) सोनल चरित्र :- लेखक :- श्री आशानंद सुराभाई गढवी झरपरा-कच्छ (ई-बुक) Click Here

(3) आईश्री  सोनल कथामृत :- लेखक :- श्री आशानंद सुराभाई गढवी झरपरा-कच्छ (ई-बुक) Click Here

ई - बुक डाउनलोड माटे मार्गदर्शन 

बुक ना नाम सामे लखेल Click Here  पर क्लिक करशो एटले बुक डाउनलोड थई जशे

प.पू.आईश्री सोनल माना प्रागट्य दिवसनी  हार्दिक शुभेच्छाओ

चारणी नूतन वर्षाभिनंदन

वंदे सोनल मातरम् 

19 दिसंबर 2022

સોનલ બીજ ચારણોનું નવું વર્ષ...શા માટે ?

 સોનલબીજ : ચારણોનું નવું વર્ષ



સોનલ બીજ ચારણોનું નવું વર્ષ...શા માટે ?

સમાજ જયારે અંધકારમાં ઘેરાયો હતો..ઘોર નિંદ્રામાં હતો ત્યારે આ શક્તિનું અવતરણ થયુ એ યુગશક્તિનું જ અવતરણ છે. 

"ચારણો એક બનો નેક બનો"  નો સંદેશ આપી અદેખાઈ અને ઈર્ષાના , વાડા અને પહડાનાં ભેદનાં છેદ ઉડાડવાની અને એકતા જગાડવાની જહેમત ઉઠાવી.  અને આજે જૂનાગઢ,ભાવનાગર,રાજકોટ, કચ્છ, અમદાવાદ, જામનગર લગભગ તમામ જગ્યાએ સમૂહ લગ્ન કે ચારણ બોર્ડિંગ છે .  જે સંગઠનનાં સંસ્કારનું ખાતમુહર્ત આઈમાંએ કર્યું હતું.     

વ્યસન અને પરમાટી જેવા રજવાડી શોખની ખાઈમાં કેટલાયની જમીન જાગીર તળિયા જાટક થતી જતી હતી... તો કેટલાક ની દીકરીના રૂપીયા આપવામાં, તો કેટલાકની જુગારની જપટે ચડી જતી હતી .. તો કેટલાકની કાવા કસુંબાની ખરલે ઘોળાઈ ને ચોપટ થઈ રહી હતી... તો કેટલાકે તો  દારૂની કોથળીમાં ફળી સુધી વહેંચી માર્યું.  આવા તો કેટલા દુષણો મધ્યયુગથી ઘર કરી ગયા હતા. જેને જડમૂળથી કાઢવા ઘરે ઘરે નેહડે નેહડે જવું અને પાણા ને માણહ   બનાવવાનું અને જ્ઞાનની ગંગા ઉતારવાનું ભગીરથ કાર્ય  યુગશક્તિ સિવાય અશક્ય હતું.

આટ આટલા અંધકારમાં જીવતા લોકોને સુધારવા જવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું.. આ બધા દુષણો ડામવા આઈમાં એ શિક્ષણ જેવું વેધક હથિયાર હાથમાં ધારણ કર્યું... આઈમાની દીર્ઘ દ્રષ્ટિ અને સમાયાનુકુલિત દ્રષ્ટિકોણમા રહેલી સુઝબુઝ ને સમજવામાં આજેય આપણી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ ટૂંકા પડે.. 

આઝાદી પછી જે કામ સરકારે કરવાનું હતું એ કામ આઇમાં એ કર્યું કદાચ આ નોંધ સરકારે લીધી નથી. રવીશંકર મહારજ જેવા ધુરંધર આઈમાંનાં અભિયાનની નોંધ લીધી હતી અને કન્યા કેળવણી માટે ભલામણ કરી હતી. મધર ટેરેસા ને એવોર્ડ મળે તો આઈમાંને કેમ નાં મળે સહજ રીતે મનને સવાલ થાય.. આ અભિયાનની અસર માત્ર ચારણ સમાજ ઉપર જ નહિ પણ મેર,મૈયા, કાઠી, આહીર, રબારી,સોની,ખારવા, ક્ષત્રિય જેવા બધા સૌરાષ્ટ્ર અને કચ્છના સમાજ ઉપર થઈ હતી.

એટલું જ નહી પણ સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓ  દોરા,ધાગા ,ધૂણવું જેવી કેટલીય ખોટી માન્યતાનો વિરોધ કર્યો. સમાજના લોકો ને શિક્ષણના માર્ગે દોડતો કરવા ઘરે ઘરે જઈને સૌરાષ્ટ્ર કચ્છ અને નિમાડ સુધી યાત્રા કરી સીધો વ્યક્તિગત સંપરક કર્યો. સંમેલન કરીને છૂટો છવાયો અને વેરવિખેર સમાજ એક મંડપ નીચે બેસાડી દીધો. 

કેટલાય કુરિવાજો ઉધઈની જેમ કોરી ખાતા હતા ..લાજ, વિધવાવિવાહ, કન્યા કેળવણી , દીકરીના રૂપીયા લેવા, અપઇયા, જેવા ઘણા કુરીવાજ સામે સવાલ ઉઠાવ્યા... 

આ કાર્યમાં સમાજનો સમજદાર વર્ગ દુલાભાયા કાગ,મેરુભા, પિગલશી ભાઈ, કાનજીભાઈ, લાખાભાઈ ,મનુભાઈ વગેરે જોડાયા..તેમને સાથે લીધા અને આમ એકવીસમી સદીમાં જીવન જીવવા માટેની તાલીમ કહો કે સંસ્કાર શીખવાડી સમાજને સભ્ય બનાવ્યો...સ્વમાન જગાડ્યું.... સરસ્વતીના ઉપાસકો ને ખરા અર્થમાં ઉપાસના શીખવાડી.. જીવન જીવવાની તરાહ બદલી નાખી... સમય થમ્ભી ગયો હતો. ચારણો  ઘોર નિંદ્રામાથી જગાડી આજના સમય સાથે ચાલતા શીખવ્યું.. એટલા માટે  આઇમાં નો જન્મ દિવસ એ ચારણો નવું વર્ષ છે. કારણ કે ત્યાંથી સમાજનાં ઇતિહાસે વળાંક લઈને સોનલ ચીંધ્યા માર્ગે ભણી પગલા માંડ્યા છે... એટલું જ નહિ પણ સમૃદ્ધિનાં શિખર સર કર્યા છે...માટે  મને ગમતો એક દુહો કઈ વિરમું છું .. જય સોનલ...સોનલ સ્મરણ, સોનલ શરણ.

પાખો આપી પરમેંશ્વરી, 
તે ઉડતા કર્યા આઈ,
સાથે રઈ સાચી દિશા 
સુચવજે હવે સોનબાઇ.
- અજ્ઞાત

લેખ બાય - જયદીપભાઈ કે. ગઢવી


15 दिसंबर 2022

સોનલબીજ ઉજવણી ની આમંત્રણ પત્રિકાઓ

સામાજીક ક્રાંતિના પ્રણેતા પ્રાંત: સ્મરણીય આઈશ્રી સોનલ માનો પ્રાગટય દિવસ એટલે પોષ સુદ-બીજ (શતાબ્દી મહોત્સવનો મંગલ પ્રારંભ)

જ્યાં જ્યાં સોનલબીજની ઉજવણી કરવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે. 

(1) માંડવી-કચ્છ.

(2) આઈશ્રી સોનલધામ મઢડા તા.કેશોદ જી. જુનાગઢ



(3) આઈશ્રી સોનલ ધામ કણેરી તા.કેશોદ જી. જુનાગઢ




(4) ગામ :- કાળેલા , તા.  મહુવા , જિ. ભાવનગર


(5) કેશોદ જી. જુનાગઢ


(6) સૂરત 





(7) આદીપુર , કચ્છ


(8) મોરબી 


(9) ખંભાળા તા. બાબરા જી.અમરેલી


(10) અમુલી તા.રાજુલા.જી અમરેલી

(11) વડોદરા


(13) સલોલી તા. મહુવા.જી.ભાવનગર

(14) પોરબંદર

(15) જામ ખંભાળિયા


(16) પીપળીયા. તાલુકો કાલાવડ. જી જામનગર


(17) શાપર વેરાવળ જી. રાજકોટ

(18) ઝરપરા, કચ્છ

                                                                (19) નરોડા અમદાવાદ





  (20) મુંબઈ




(21) રેલનગર રાજકોટ
(22) ટોકરા (મેવાકંપા) તા.વડલી જી. સાબરકાંઠા

(23) મોટા ભાડિયા તા. માંડવી-કચ્છ
(24) જશોદાનગર અમદાવાદ



(25) સંત કબીર રોડ, રાજકોટ


(26) વડોદરા
(27) અમરેલી
(28) ગાંધીનગર
(29) આઈશ્રી ખોડિયાર યુવક મંડળ, રાજકોટ

(૩૦) વલસાડ
                                         


(૩૧) કોટાયા


(૩૨) આદીપુર-કચ્છ





(૩૩) ધાપા (ગીર) તાલાલા


(૩૪) હળવદ 


(૩૫) ગોલાસણ


(૩૬) જામનગર


(૩૭) થરાદ જી. બનાસકાંઠા


(૩૮) ચારણ પીપળીયા (નિકવા) જી. જામનગર




(૩૯) ધ્રાંગધ્રા


(40) પાલનપુર, બનાસકાંઠા



(41) સોનલધામ ગાંધીધામ






(42) સુરેન્દ્રનગર


(43) કંકુથાભલા પો. ગોવિંદી તા. ગોધરા જી. પંચમહાલ


(44) પેણાવા રાજસ્થાન


(45) રાધનપુર


(46) રામોદડી તા. પેટલાદ જી. આણંદ


(47) જામજોધપુર




(48) ચારણકા તા. સાંતલપુર જી. પાટણ


(49) સમઢીયાળા જી. બોટાદ

(50) અંજાર કચ્છ


(51) ચારણ પીપલીયા જામનગર



(52) સોનપુર પાંદ્રો લખપત કચ્છ

(53) દાંતીના સમઢીયાળા જી. અમરેલી













माहिती / पत्रिका मोकलवा माटे :-
Whatsaap No
9913051642

समयसर माहिती /आमंत्रण पत्रिकाओ  मोकली सहकार आपवा विनंती आपना अमूल्य साथ सहकार बदल आभार

Sponsored Ads

ADVT

ADVT